Sharmila tagore: શર્મિલા ટાગોરે કોફી વિથ કરણ 8 માં કર્યો ચોંકવનારો ખુલાસો, આ ગંભીર બીમારી ને કારણે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની નો હિસ્સો નહોતી બની શકી અભિનેત્રી

Sharmila tagore: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન જોવા મળ્યા હતા. આ દરમિયાન શર્મિલા ટાગોરે ઘણા ખુલાસા પણ કર્યા હતા. પરંતુ શર્મિલા ટાગોર ના એક ખુલાસા એ કરણ જોહર ને પણ ચોંકાવી દીધો હતો.

by Zalak Parikh
sharmila tagore reveals she battled with cancer in koffee with karan 8

News Continuous Bureau | Mumbai

Sharmila tagore: કોફી વિથ કરણ 8 માં દિગ્ગ્જ બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર તેના અભિનેતા પુત્ર સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ શો માં શર્મિલા ટાગોરે ઘણા ખુલાસા કર્યા હતા. પરંતુ અભિનેત્રી ના એક ખુલાસા એ કરણ જોહર ને પણ ચોંકાવી દીધો હતો. કરણ જોહર ના સવાલો ના જવાબ આપતા શર્મિલા ટાગોરે ખુલાસો કર્યો કે તેને કેન્સર હતું. જોકે હવે તેને કેન્સર સામે ની લડાઈ જીતી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : Koffee with Karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે કર્યા તેના પુત્ર ના અંગત જીવન વિશે ઘણા ખુલાસા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા વિશે કહી આવી વાત

શર્મિલા ટાગોરે કર્યો તેને કેન્સર હોવાનો ખુલાસો 

કોફી વિથ કરણ માં કરણ જોહરે કહ્યું કે, ‘મેં શર્મિલા જીને રોકી અને રાની કી પ્રેમ કહાની માં શબાના આઝમી દ્વારા ભજવેલી ભૂમિકાની ઓફર કરી હતી. તેણી મારી પ્રથમ પસંદગી હતી. તે સમયે તબિયતના કારણોસર તે હા કહી શકી ન હતી, પરંતુ મને અફસોસ છે કે હું તમારી સાથે કામ ન કરી શક્યો.જવાબ માં શર્મિલા ટાગોરે જણાવ્યું કે, ‘હું કોરોના મહામારી દરમિયાન જોખમ લેવા માંગતી નહોતી કારણ કે મેં રસી નહોતી લીધી અને કોવિડ તે સમયે  ચરમસીમા પર હતો, પરંતુ અમને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો તેથી તેઓને રસી વિશે ખબર ન હતી, અમને રસી આપવામાં આવી ન હતી. તમે જાણો છો, (આ) મારા કેન્સર પછી હતું. તેથી જ મેં કોવિડની રસી લીધી નહોતી. જોકે શર્મિલા ટાગોરે કેન્સર સામેની પોતાની લડાઈ વિશે વધુ ખુલીને જણાવ્યું નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More