Site icon

Shefali Jariwala: આજ રોજ આવી શકે છે શેફાલી જરીવાલાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Shefali Jariwala: શેફાલી જરીવાલા ના એન્ટી-એજિંગ ઈન્જેક્શનથી લઈને ખોરાક સુધીની તપાસમાં વ્યસ્ત છે પોલીસ, અત્યારસુધી 14 લોકોના નિવેદન નોંધાયા છે.

Shefali Jariwala Postmortem Report Expected Today Police Investigation Reveals Shocking Details

Shefali Jariwala Postmortem Report Expected Today Police Investigation Reveals Shocking Details

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala: ટીવી અભિનેત્રી અને ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલા ના અચાનક અવસાન બાદ આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 27 જૂનના રોજ રાત્રે હૃદયરોગના હુમલા બાદ તેનું અવસાન થયું હતું. હવે તેના મૃત્યુના સાચા કારણ અંગે સ્પષ્ટતા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ આજે, 30 જૂનના રોજ આવી શકે છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: શેફાલી જરીવાલા ના નિધન માં આવ્યો નવો વળાંક, અભિનેત્રી ના ઘરે પહોંચી ફોરેન્સિક ટીમ, કરી આવી તપાસ

પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો

મીડિયા રિપોર્ટ મુજબ અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં 14 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. શેફાલી દ્વારા લેવામાં આવતી દવાઓ, એન્ટી-એજિંગ ઈન્જેક્શન , ખોરાક અને તેના ડોક્ટરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ નો સંદેહ હતો, પરંતુ હવે ઝેર લેવાની શક્યતા પર પણ તપાસ ચાલી રહી છે.


મીડિયા રિપોર્ટ મુજબ શેફાલીનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું. પાંચ ડોક્ટરોની ટીમ રિપોર્ટ તૈયાર કરી રહી છે અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે મૃત્યુનું સાચું કારણ બહાર આવશે અને પોલીસની તપાસ આગળ વધશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version