Site icon News Continuous Bureau | Mumbai

ગાયક કેકે ના શરીર પર જોવા મળ્યા ઈજાના નિશાન-કોલકાતાના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો કેસ-આ લોકોની થઇ શકે છે પુછપરછ

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ કેકે તરીકે (KK death)જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના (heart attack)કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ (Kolkata nazrul stage)ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયો હતો. જે બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

Join Our WhatsApp Channel

કેકેના મૃત્યુ બાદ ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેકે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેના માથા પર ઈજાના નિશાન (injury marks)હતા. જોકે આ તમામ બાબતો પોસ્ટમોર્ટમ (postmortem) બાદ જ આવરી લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, થોડા સમય પછી એસએસકેએમ(SSKM hospital) હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ શરૂ થશે.પ્રખ્યાત ગાયક કેકેના મૃત્યુ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેકેના ચહેરા અને માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસ આયોજકો અને હોટેલ સ્ટાફની(hotel staf) પૂછપરછ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર-પ્રખ્યાત ગાયક કેકે નું હાર્ટ એટેકથી થયું નિધન- PM મોદી અમિત શાહ સહિત આ હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે રાત્રે કોલકાતામાં (kolkata ) અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેકે લગભગ એક કલાક સુધી ગીત ગાયા પછી તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થ હતા.અધિકારીઓએ જણાવ્યું કે ગાયકને દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કેકેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે અમે તેમની સારવાર કરી શક્યા નહીં . હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ગાયકનું મૃત્યુ હાર્ટ એટેકથી(heart attack) થયું છે.

Javed Akhtar Dhurandhar Movie Reaction| પ્રોપગેન્ડાના આરોપો વચ્ચે જાવેદ અખ્તરે ‘ધુરંધર’નો કર્યો બચાવ! ફિલ્મની વાર્તા અને કન્ટેન્ટ પર કહી દીધી આ મોટી વાત
Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું
Huma Qureshi Rachit Singh Wedding| બોયફ્રેન્ડ રચિત સિંહ સંગ લગ્નગ્રંથિથી જોડાશે હુમા કુરેશી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે વેડિંગ?
Exit mobile version