સોનુ નિગમને મળશે પદ્મશ્રી પુરસ્કાર, ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આ લોકોને પણ મળશે સન્માન; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

બુધવાર 

ભારત સરકાર દ્વારા 73માં ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમનું નામ પણ સામેલ છે. સોનુ નિગમને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.આ યાદીમાં સોનુ નિગમ સહિત 128 લોકોના નામ સામેલ છે. આ યાદીમાં સોનુ ઉપરાંત નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને જાણીતા કલાકાર વિક્રમ બેનર્જીનું નામ પણ સામેલ છે. લિસ્ટ સામે આવતાની સાથે જ ફેન્સ સોશિયલ મીડિયા પર વિજેતાઓને અભિનંદન આપવામાં વ્યસ્ત છે.

સોનુ નિગમની વાત કરીએ તો તે ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય ગાયક છે. પોતાના કરિયરમાં તેણે એવા ગીતો ગાયા છે જે આજે પણ લોકોની જીભ પર છે. સોનુ નિગમની ગણતરી એવા ગાયકોમાં થાય છે જેમના લગભગ દરેક ગીત હિટ રહ્યા છે. સોનુ નિગમે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન અને રિતિક રોશન જેવા તમામ કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે.સોનુ નિગમની ખાસ વાત એ છે કે તેણે હિન્દી ઉપરાંત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. આ યાદીમાં કન્નડ, તેલુગુ, ભોજપુરી, ગુજરાતી અને બંગાળી ભાષાઓ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સોનુ નિગમે પોતાના કરિયરમાં 5 હજારથી વધુ ગીતો ગાયા છે.

પ્રિયંકા ચોપરાએ 100 કરોડ ની આ ફિલ્મ કરવાની પાડી ના!! શું નવજાત પુત્રી છે કારણ? જાણો વિગત

આ વર્ષે સોનુ નિગમ ઉપરાંત ચંદ્રપ્રકાશ અને વિક્રમનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પેસેજ ટુ ઈન્ડિયામાં કામ કરનાર વિક્રમ બેનર્જીને આ વર્ષે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વાત કરીએ તો ચંદ્રપ્રકાશ દ્વિવેદી એક ભારતીય ફિલ્મ નિર્દેશક અને પટકથા લેખક છે. ચંદ્રપ્રકાશને ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે વર્ષ 1991માં દૂરદર્શન પર પ્રસારિત થનારી ચાણક્ય સિરિયલનું નિર્દેશન કર્યું હતું. દ્વિવેદીએ આ સિરિયલમાં ચાણક્યની મુખ્ય ભૂમિકા ભજવી હતી. અક્ષય કુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment