કસુવાવડ પછી બીજા દિવસે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ નું કરવું પડ્યું શૂટિંગ, સ્મૃતિ ઈરાનીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના કહેવા મુજબ તે સમયે તે એક સાથે બે શોમાં કામ કરતી હતી. એક તો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને બીજી તરફ તે 'રામાયણ'માં કામ કરી રહી હતી.

by Zalak Parikh
smriti irani reveals she was called to work day after miscarriage for ekta kapoor show kyunki saas bhi kabhi bahu thi

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીના જણાવ્યા અનુસાર, તેણીના કસુવાવડના એક દિવસ પછી જ તેને કામ પર બોલાવવામાં આવી હતી. તેણીના કહેવા મુજબ, તેણીના સહ-અભિનેતા એ દાવો કર્યો કે તેણી જૂઠું બોલી રહી છે તે પછી તેણીએ તેણીના મિત્ર અને શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ની નિર્માત્રી એકતા કપૂરને તેણીની તબીબી સ્થિતિના કાગળો બતાવ્યા. અભિનેત્રી અનુસાર, તે સમયે તે રવિ ચોપરા દ્વારા નિર્દેશિત ટીવી સીરિયલ ‘રામાયણ’માં પણ કામ કરી રહી હતી. આ શોના ડિરેક્ટરે તેને કામ પર આવવાને બદલે આરામ કરવાની સલાહ આપી હતી.

 

મને ખબર નહોતી કે હું ગર્ભવતી છુંઃ સ્મૃતિ

સ્મૃતિએ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે, “મને ખબર નહોતી કે હું ગર્ભવતી છું. હું સેટ પર હતી (કયુંકી સાસ ભી કભી બહુ થી). મેં તેને કહ્યું કે હું શૂટ કરવાની કોઈ સ્થિતિમાં નથી.” મેં. ઘરે જવાની પરવાનગી પણ માંગી. પણ તેમ છતાં મેં કામ કર્યું અને મને ઘરે જવાની પરવાનગી મળી ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. ડૉક્ટરોએ મને સોનોગ્રાફી કરવાની સલાહ આપી. મને રસ્તામાં લોહી વહેવા લાગ્યું. મને યાદ છે. તે સમયે વરસાદ પડી રહ્યો હતો.મેં એક ઓટો રોકી અને ડ્રાઈવરને કહ્યું કે મને હોસ્પિટલ લઈ જાઓ.હું હોસ્પિટલ પહુંચી ત્યારે એક નર્સ દોડતી આવી અને તેણે ઓટોગ્રાફ માંગ્યો.જ્યારે મને લોહી નીકળતું હતું.મેં તેને ઓટોગ્રાફ આપ્યો અને કહ્યું – તમે એડમિટ કરશો મને લાગે છે કે મને કસુવાવડ થઈ રહી છે.

 

બે શિફ્ટ માં કામ કરતી હતી સ્મૃતિ 

સ્મૃતિ ના જણાવ્યા અનુસાર તે સમયે તે ડબલ શિફ્ટમાં કામ કરતી હતી. રવિ ચોપરાની ‘રામાયણ’ પછી તે બાલાજી ટેલિફિલ્મ્સ ના શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ માટે શૂટિંગ કરતી હતી. સ્મૃતિ એ કહ્યું કે જ્યારે તેણીએ રવિ ચોપરાને તેની સ્થિતિ વિશે જણાવ્યું તો તેણે તેને આરામ કરવાની સલાહ આપી. રવિ ચોપરા એ કહ્યું – તમારું દિમાગ ખરાબ છે. શું તમે જાણો છો કે બાળક ગુમાવવાનું દુઃખ શું છે. તમે હમણાં જ તેમાંથી પસાર થયા છો. કાલે આવવાની જરૂર નથી.” મેં કહ્યું- ‘રવિજી, રવિવારનો એપિસોડ છે, સીતાનું સ્થાન નહીં લઈ શકાય.’ તો તેણે કહ્યું – હું વ્યવસ્થા કરીશ.”અભિનેત્રીએ જણાવ્યું કે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ની ટીમ દ્વારા તેને સતત કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવી રહ્યું હતું, જ્યારે તેણે તેમને કહ્યું કે તેણીને કસુવાવડ થઈ છે અને તેના કારણે તે ઠીક નથી.ત્યાંથી જવાબ આવ્યો – કંઈ નહીં, 2 વાગ્યાની શિફ્ટમાં આવો.

 

એકતા કપૂર ને બતાવ્યા મેડિકલ રિપોર્ટ્સ 

 

સ્મૃતિ ના જણાવ્યા અનુસાર,’કયુંકી સાસ ભી કભી બહુ થી’ ના એક સહ-અભિનેતાએ એકતાના કાન ભર્યા હતા કે તેનો ગર્ભપાત થયો નથી. તેણી ઢોંગ કરી રહી છે. સ્મૃતિએ કહ્યું, “તે વ્યક્તિને ખ્યાલ ન હતો કે હું કામ પર પાછી ફરી કારણ કે મારે મારા ઘરની EMI ચૂકવવાની હતી.. બીજા દિવસે મેં એકતા કપૂરની સામે મેડિકલ પેપર્સ મૂક્યા અને કહ્યું કે હું નાટક નથી કરી રહી. તે અસ્વસ્થ થઇ ગઈ અને મને કહ્યું – ‘કાગળો બતાવવાની જરૂર નથી.’ મેં તેને કહ્યું – કોઈ ભ્રૂણ બચ્યો નથી, નહીંતર તેણે પણ બતાવ્યું હોત.’

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More