News Continuous Bureau | Mumbai
ટીવીની જાણીતી અભિનેત્રી સ્મૃતિ ઈરાની આજે ઘણી મોટી રાજનેતા છે. તેણે ટીવી જગતમાં ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સિરિયલથી ઓળખ મેળવી હતી. આ સિરિયલમાં તુલસીના પાત્રને કારણે તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. જોકે તેણે આ એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી લીધી છે. તે પછી પણ તે સમાચારમાં રહે છે. હાલમાં જ સ્મૃતિએ એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સ્મૃતિ ઈરાનીએ શેર કર્યો વીડિયો
સ્મૃતિ ઈરાનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની એક નાની ક્લિપ છે. આ વીડિયોને શેર કરતી વખતે સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું છે – વાર્તા શીખવે છે કે જેમણે ફેરાફર્યા છે તેમણે બદામ ખાવી જોઈએ.આ વીડિયોમાં જેઠાલાલ દયાબેનને પૂછે છે કે ભગવાન જયારે બુદ્ધિ વહેંચતા હતા. ત્યારે તું ક્યાં ફરતી હતી? આનો જવાબ આપતાં દયા કહે છે કે તે તમારી સાથે ફેરા લગાવી રહી હતી. આ સાંભળીને જેઠાલાલ ચોંકી ગયા. આ સાથે જ સ્મૃતિ ઈરાનીએ વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં દયાબેન તેમના પતિ જેઠાલાલ ની ટેસ્ટ લઈ રહ્યા છે. જ્યારે જવાબ આપવામાં અસમર્થ હોય, ત્યારે તે તેમને બદામ ખવડાવે છે. આ વીડિયોને શેર કરતા સ્મૃતિએ લખ્યું- સ્ટોરી નું મોરાલ એ છે કે જેને ફેરા લીધા છે તેણે બદામ ખાવી જોઈએ. દયાબેન રોક્સ. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એકે લખ્યું, હમ્મમ બદામ જરૂરી છે. આજે જ 1 લીટર લાવવી પડશે. બીજા એ લખ્યું કે, દયાજી ને પાછા લાવો. હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ તેમને યાદ કરવા લાગ્યા છે. મેમ, આ બદામ રાહુલ ગાંધી સુધી પહોંચવી જોઈએ.