Site icon News Continuous Bureau | Mumbai

સોહા અલી ખાને છ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા પાછળનું આપ્યું સાચું કારણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર 

એક્ટિંગથી લગભગ છ વર્ષ દૂર રહીને અભિનેત્રી સોહા અલી ખાન હવે વેબ સિરીઝ 'કૌન બનેગા શિખરવતી'થી કમબેક કરી રહી છે. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રી કહે છે કે હવે હું અભિનયની દુનિયામાં પરત ફરવા માંગુ છું. મને સમજાયું કે આ સમયે હું એક માતા અને અભિનેતા બંનેનો રોલ કરી શકું છું.અભિનેત્રી ઉમેરે છે, "ઘણીવાર લોકો મને પૂછે છે કે હું શા માટે બહાર નથી જતી? હું કેમ કામ નથી કરતી. હું બીજું પુસ્તક કેમ નથી લખતી? પરંતુ જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે હું ખૂબ ખુશ હતી.કારણ કે હું આ બધા લોકોને જવાબ નહોતો આપવાનો. જો કે, થોડા સમય પછી ધીમે ધીમે વસ્તુઓ ફરીથી ખુલવા લાગી. પણ પછી મને આ શો (કૌન બનેગા શિખરવતી)ની ઓફર મળી. તે પણ જ્યારે કોરોના ટોચ પર હતો. પરંતુ અમે રાજસ્થાનમાં બાયો બબલ બનાવવામાં અને ત્યાં શૂટ કરવામાં સફળ રહ્યા."

સોહા કહે છે કે હું સારી રીતે જાણું છું કે અભિનય એ "સમય લેતો વ્યવસાય" છે. આ માટે 12-14 કલાક ઘરથી દૂર રહેવું પડે છે , પરંતુ હવે હું તે સમય આપી શકું છું.કુણાલ ચોવીસ કલાક શૂટિંગ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં બાળકની સાથે માતા-પિતામાંથી કોઈ એક સાથે રહેવું જરૂરી હતું. તેથી મેં ઘણી ઓફરો ઠુકરાવી દીધી. કારણ કે તે સમયે મારી દીકરીને મારી જરૂર હતી. પરંતુ હવે તે સ્વતંત્ર બની રહી છે. તેથી મને લાગ્યું કે આ સમયે હું મારી કારકિર્દી પર ધ્યાન આપી શકું છું.

રિલીઝ પહેલા કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’, તેલંગાણા હાઈકોર્ટમાં PIL દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

પીઢ અભિનેત્રી  શર્મિલા ટાગોર અને દિવંગત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી, સોહાએ "રંગ દે બસંતી", "આહિસ્તા આહિસ્તા", "મુંબઈ મેરી જાન" અને "સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ" જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લીધા હતા. લીધેલ. જો કે, પુત્રી ઇનાયાના જન્મ પછી, તેણે 2018 માં આવેલી ફિલ્મ "સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3" પછી બ્રેક લીધો હતો.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version