News Continuous Bureau | Mumbai
Soni razdan: ઝીનત અમાને તાજેતરમાં લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. જેને લઈને અભિનેત્રી ચર્ચામાં આવી હતી ઝીનત ના આ નિવેદન પર હનગમો મચ્યો હતો. આ નિવેદન ને લઈને લોકો આ અંગે પોતાનો અભિપ્રાય આપતા અભિનેત્રી ની ટીકા પણ કરી રહ્યા છે. સૌ પ્રથમ મુમતાઝ એ અભિનેત્રી ની ટીકા કરી હતી હવે આ કદી માં અભિનેતા મુકેશ ખન્ના નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. મુકેશ ખન્ના એ અભિનેત્રી ના નિવેદન પર ટીકા કરતા કહ્યું, ‘આપણી સંસ્કૃતિ અને ઈતિહાસમાં લિવ-ઈન રિલેશનશિપ જેવી વસ્તુને ક્યારેય માન્યતા આપવામાં આવી નથી.’ હવે અભિનેતા ના આ નિવેદન પર આલિયા ભટ્ટ ની માતા સોની રાઝદાન એ પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: Salman khan firing case: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ થી લોરેન્સ બિશ્નોઇ ના નામે કેબ બુક થતા જ એક્શન મોડમાં આવી પોલીસ, કરી આવી કાર્યવાહી
સોની રાઝદાન એ આપી પ્રતિક્રિયા
મુકેશ ખન્ના ના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સોની રાઝદાન એ તેના સોશિયલ મીડિયા પર એક પશોટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘ ‘ઓહ માય ગોડ. જો કોઈ કપલ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહે અને સાથે ન હોય તો શું થશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. મન મૂંઝાઈ જાય છે.’
Gosh. Can’t imagine what would happen if a couple live together in a ‘live -in’ relationship and don’t get along. The mind boggles ☺️ https://t.co/EAHKv8trmo
— Soni Razdan (@Soni_Razdan) April 20, 2024
તમને જણાવી દઈએ કે મુકેશ ખન્ના પહેલા અભિનેત્રી મુમતાઝ અને સાયરા બાનું એ ઝીનત અમાન ના લીવ ઇન રિલેશનશિપ પર પ્રતિક્રિયા આપી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)