Site icon

શું પારસ કલનાવત પછી અનુપમા નું આ મુખ્ય પાત્ર પણ કહેશે શો ને અલવિદા- શો છોડવા અંગે નિર્માતા ને આપી આ હિન્ટ

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ 'અનુપમા'ના સેટ પર હંગામો મચી ગયો છે. પારસ કલનાવત અનુપમાને(Paras Kalnawat quit Anupama) છોડવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. થોડા સમય પહેલા પારસ કલનાવતને અચાનક સિરિયલ અનુપમામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પારસ કલનાવતને હાંકી કાઢ્યા બાદ રાજન શાહીએ(Rajan Shahi) આરોપ લગાવ્યો છે કે તેણે કરાર તોડ્યો છે. પારસ કલનાવતે  નિર્માતાઓને જાણ કર્યા વિના ઝલક દિખલા જા 10 સાઈન કરી છે. આવી સ્થિતિમાં પ્રોડક્શન હાઉસે પારસ કાલનવત વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

થોડા સમય પહેલા પારસ કલનાવતે પણ આ સમાચાર પર મોહર લગાવી છે. આ દરમિયાન, વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ (Sudhanshu Pandey)જાહેરાત કરી છે કે તે પણ પારસ કલનાવત પછી શો છોડી શકે છે. પારસ કલનાવત ના  ગયા પછી સુધાંશુ પાંડેએ અનુપમા સિરિયલના નિર્માતાઓને કડક ચેતવણી આપી છે.એક ન્યૂઝ પોર્ટલ ને  આપેલા ઈન્ટરવ્યુમાં સુધાંશુ પાંડેએ કહ્યું કે, 'આ સમાચાર સાંભળ્યા બાદ અનુપમા સિરિયલની આખી ટીમ આઘાતમાં(shock) છે. મેં પારસ ને પૂછ્યું કે આ બધું કેવી રીતે બન્યું. કાલે રાત્રે જ મેં પારસ સાથે વાત કરી. મને લાગે છે કે પારસ ને કોઈ મોટા કારણસર શોમાંથી બહાર કરવામાં આવ્યો છે. ક્યારેક મહાન લોકો એવા નિર્ણયો લે છે જેનાથી તમને દુઃખ થાય છે. સમયની સાથે મેકર્સને(makers) પણ આનો ખ્યાલ આવી જશે.’

આ સમાચાર પણ વાંચો : સિરિયલ અનુપમા ના ચાહકો માટે ખરાબ સમાચાર- નિર્માતાઓએ આ મહત્વના પાત્ર ને શો માંથી કર્યો બહાર- પ્રોડક્શન હાઉસે રાતોરાત લીધો નિર્ણય

પારસ કલનાવત નું સમર્થન કરતાં સુધાંશુ પાંડેએ કહ્યું, 'અહીં કોઈની ભૂલ નથી. દરેક વ્યક્તિ વિચાર્યા વગર નિર્ણય લેતો નથી. પારસ કલનાવતે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી તે શો પસંદ કર્યો છે. હવે પારસ ને આ માર્ગ પર જ આગળ વધવું પડશે. સુધાંશુ પાંડેએ દાવો કર્યો છે કે તે સીરિયલ અનુપમાના સેટ પર પારસ ને ખૂબ મિસ(miss Paras) કરશે. સુધાંશુ પાંડેએ પારસ ના બહાર નીકળવાને સંપૂર્ણપણે અનફેર (unfair)ગણાવ્યું છે.

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version