News Continuous Bureau | Mumbai
Samay Raina: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના પોતાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ માં દિવ્યાંગો પર કરેલા મજાકને કારણે વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ બાદ સમય રૈનાએ માફી માંગી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ એ તેમની માફી સ્વીકારવાને બદલે કડક આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ભાવુક વિદાય: ધર્મેન્દ્રની યાદમાં મુંબઈમાં ગુરુવારે ખાસ ‘જિંદગી કા જશ્ન’ કાર્યક્રમ, બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી
સુપ્રીમ કોર્ટનો આદેશ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ની પીઠે આદેશ આપ્યો કે સમય રૈના સહિત ચાર કોમેડિયન્સને દર મહિને ઓછામાં ઓછા બે ફંડરેઝિંગ ઇવેન્ટ્સ યોજવા પડશે. આ ઇવેન્ટ્સમાંથી મળેલા પૈસા દિવ્યાંગોના સારવાર માટે વપરાશે, ખાસ કરીને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત દર્દીઓ માટે.કોર્ટએ સમય રૈનાને વિવાદિત વિડિયો તરત ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું કે આ પગલું સજા નથી, પરંતુ સામાજિક જવાબદારી છે. “અમે આશા રાખીએ છીએ કે આગામી સુનાવણી પહેલા આવા ઇવેન્ટ્સની ઝલક જોવા મળશે,” કોર્ટએ જણાવ્યું.
સમય રૈનાએ પોતાના શોમાં દિવ્યાંગો પર ભદ્દા કમેન્ટ્સ કર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો. ટ્રોલિંગ બાદ તેમણે માફી માંગી, પરંતુ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે માત્ર માફી પૂરતી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
