Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂત બર્થ એનિવર્સરી: માત્ર 2 કલાક જ સૂતો હતો સુશાંત, કિયારા અડવાણીએ અભિનેતાની ‘અજીબ’ આદતનો કર્યો ખુલાસો

કિયારાએ ખુલાસો કર્યો કે કેવી રીતે સુશાંતે તેને કહ્યું કે માનવ શરીરને માત્ર બે કલાકની ઊંઘની જરૂર છે.

sushant singh rajput used to sleep only for 2 hours kiara advani revealed the actor habit

સુશાંત સિંહ રાજપૂત બર્થ એનિવર્સરી: માત્ર 2 કલાક જ સૂતો હતો સુશાંત, કિયારા અડવાણીએ અભિનેતાની 'અજીબ' આદતનો કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડનો યુવા, પ્રતિભાશાળી અને હેન્ડસમ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ( sushant singh rajput ) ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ તે તેના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. આ દિવસે એટલે કે 21 જાન્યુઆરી, 1986ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારની રાજધાની પટનામાં થયો હતો. સુશાંતના ચાહકો ફરી એકવાર તેમના દિવંગત અભિનેતાને સોશિયલ મીડિયા પર ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતાની જન્મજયંતિ પર, ચાહકોએ ફરી એકવાર તેના માટે ન્યાયની માંગ કરી છે, સુશાંતનું મૃત્યુ બે વર્ષથી વધુ સમયથી રહસ્ય બની રહ્યું છે.

Join Our WhatsApp Channel

મૃત્યુનો ભેદ અકબંધ

14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ અભિનેતાના મૃત્યુના કેસની તપાસ કરી રહી છે, તપાસ એજન્સી હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહ ટૂંક સમયમાં બોલિવૂડ સ્ટાર પણ બની ગયો. શું તમે જાણો છો કે સુશાંત સિંહ માત્ર 2 કલાક જ સૂતો હતો? ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ની કો-સ્ટાર કિયારા અડવાણીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે દિવંગત અભિનેતા ‘નિદ્રાધીન’ હતા. તેને આ જોઈને વિચિત્ર લાગ્યું, કારણ કે તેણે સુશાંતને સેટ પર ક્યારેય થાકેલો જોયો નથી.

આ સમાચાર પણ વાંચો:  સ્ટાર પલ્સ ની સિરિયલ ‘અનુપમા’ માં લિપ બાદ આવશે મોટો ફેરફાર, સંબંધોમાં થશે ગરબડ, ખુલશે ઘણા રહસ્યો

કિયારા એ કર્યો ચોંકાવનારો ખુલાસો છે

એમએસ ધોની માં સુશાંતની ઓન-સ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવનાર કિયારા અડવાણી એકવાર યુટ્યુબર ની ચેનલ પર દેખાઈ હતી. ત્યાં તેણે ખુલાસો કર્યો કે કેવી રીતે સુશાંતે તેને કહ્યું કે માનવ શરીરને માત્ર બે કલાકની ઊંઘની જરૂર છે. આ જ સિદ્ધાંતને અનુસરીને તેણે કહ્યું કે સુશાંત હંમેશા કામમાં સક્રિય રહેતો હતો અને તેનો આનંદ માણતો હતો. તેણે કહ્યું કે તે સુશાંતને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.કિયારાએ કહ્યું, ‘તે અનિદ્રાનો શિકાર હતો, કારણ કે જ્યારે હું થાકી જતી હતી અને સૂવા માંગતી હતી ત્યારે તેણે મને કહ્યું કે વ્યક્તિ ને માત્ર બે કલાકની ઊંઘની જરૂર છે. તમે સાત કે આઠ કલાક સૂઈ શકો છો, પરંતુ તમારું મગજ માત્ર બે કલાક જ ઊંઘે છે. બાકીનો સમય તમે બેભાન અથવા સૂતા હોવ, પરંતુ તમારું મન સક્રિય રહે છે. તેથી, તેણે કહ્યું કે મારે ફક્ત બે કલાકની ઊંઘ જોઈએ છે અને મને લાગ્યું કે તે ખૂબ જ વિચિત્ર છે અને તે તે કેવી રીતે કરે છે, પરંતુ બીજા દિવસે તે એકદમ સક્રિય હતો. સેટ પર તે ક્યારેય થાકેલો દેખાયો નથી.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version