તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું આ પાત્ર ટૂંક સમયમાં કરશે લગ્ન, જાણો કોણ બનશે તેની વહુ

-’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં લેખક તારક મહેતાનું પાત્ર ભજવનાર સચિન શ્રોફ ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. તે 25 ફેબ્રુઆરી, 2023ના રોજ તેની દુલ્હન સાથે સાત ફેરા લેશે. જણાવી દઈએ કે અભિનેતાએ પહેલા ટીવી અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. તેમને 10 વર્ષની દીકરી સમાયરા છે.

by Zalak Parikh
taarak mehta ka ooltah chashmah fame sacchin shrof to get married on this date know who will be his bride

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ શોની જોરદાર ફેન ફોલોઈંગ છે. દર્શકો તમામ પાત્રો વિશે વધુને વધુ જાણવા માંગે છે. હવે શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર સચિન શ્રોફ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે 25 ફેબ્રુઆરી, 2023ના રોજ તેની દુલ્હન સાથે સાત ફેરા લેશે. જણાવી દઈએ કે અભિનેતાએ પહેલા ટીવી અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. તેમને 10 વર્ષની દીકરી સમાયરા છે. એવું લાગે છે કે સચિન આખરે આગળ વધવા અને ફરીથી સેટલ થવા માટે તૈયાર છે.

 

સચિન શ્રોફ ટૂંક સમયમાં લગ્ન કરશે

એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, સચિન શ્રોફ 25 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક ફેમિલી ફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેતાના ગુપચુપ લગ્નમાં હાજરી આપવા જઈ રહેલા એક મહેમાને  મીડિયા હાઉસ ને જણાવ્યું હતું કે સચિનની દુલ્હનની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે કારણ કે પરિવાર ઈચ્છે છે કે બધું શાંતિથી થાય.સૂત્રો એ લગ્ન વિશે વધુમાં જણાવ્યું હતું કે આ એક અરેન્જ્ડ મેરેજ છે અને થવા વાળી દુલ્હન ઇન્ડસ્ટ્રીમાંથી નથી અને પાર્ટ-ટાઇમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. ઉપરાંત, થવા વાળી દુલ્હન  ઘણા વર્ષોથી સચિનની મિત્ર છે અને ગયા મહિને જ સચિનના પરિવારે અભિનેતાને લગ્ન કરવાનું સૂચન કર્યું હતું. સૂત્રએ એમ પણ કહ્યું કે સચિને તેના પરિવારના સૂચન પર ગંભીરતાથી વિચાર કર્યો અને આ રીતે આગળ વધવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે સચિન શ્રોફે વર્ષ 2009માં અભિનેત્રી જુહી પરમાર સાથે લગ્ન કર્યા હતા. જો કે, નવ વર્ષ પછી, બંને 2018 માં અલગ થઈ ગયા. તેમને 10 વર્ષની દીકરી સમાયરા છે.

 

સચિન શ્રોફ નું કરિયર 

સચિન શ્રોફે ટીવી, ઓટીટી અને ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તે સિંદૂર તેરે નામ કા, સાત ફેરે: સલોની કા સફર, નામ ગમ જાયેગા, શગુન અને પરમાવતાર શ્રી કૃષ્ણ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે. સચિને પ્રકાશ ઝા ની સિરીઝ આશ્રમમાં પણ અભિનય કર્યો હતો અને તે ડબલ એક્સએલમાં પણ જોવા મળ્યો હતો, જેમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી હતી. તે ‘ગૂમ હૈ કિસી કે પ્યાર મેં’માં પણ રાજીવની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. થોડા મહિના પહેલા, સચિનને ​​હિટ સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની ભૂમિકા ભજવવા માટે, શૈલેષ લોઢાની જગ્યાએ લેવામાં આવ્યો હતો.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More