News Continuous Bureau | Mumbai
Taarak Mehta Ka Ooltah Chashmah: પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના તાજેતરના એપિસોડ્સમાં ‘અય્યર’ એટલે કે તનુજ મહાશબ્દેની ગેરહાજરીથી સોશિયલ મીડિયા પર ચર્ચા જોર પકડી રહી છે. ‘બબીતા’ અને ‘જેઠાલાલ’ પણ હાલમાં શોમાં દેખાતા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ‘અય્યર’ અને ‘બબીતા’ મહાબલેશ્વરમાં હોલિડે પર છે અને ‘જેઠાલાલ’ બિઝનેસ ટ્રિપ પર છે.
આ સમાચાર પણ વાંચો : Kajol Happy Married Life Secret: કાજોલ એ તેના અજય દેવગન સાથેના ખુશહાલ લગ્નજીવનનું ખોલ્યું રહસ્ય
ફેન્સ માં ઉદાસીનતા
‘અય્યર’ અને ‘બબીતા’ની જોડી શોમાં હંમેશા ‘જેઠાલાલ’ સાથે મસ્તી અને હાસ્યનો તડકો લાવતી રહી છે. પરંતુ તાજેતરના ‘ભૂતની’ ટ્રેકમાં આ ત્રણેય પાત્રો ગાયબ છે, જેને કારણે ફેન્સ માં ઉદાસીનતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક ફેન્સે પ્રશ્ન ઉઠાવ્યા છે કે શું ‘અય્યર’એ શો છોડ્યો છે? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પાત્રોની ગેરહાજરી અને વારંવારના ફેરફારોને કારણે શોના ભવિષ્ય વિશે ચિંતાઓ ઊભી થઈ રહી છે. ફેન્સ આશા રાખે છે કે તેમના મનપસંદ પાત્રો ફરીથી સ્ક્રીન પર જોવા મળશે.
View this post on Instagram
પ્રોડક્શન હાઉસે ‘બબીતા’ એટલે કે મુનમુન દત્તા વિશે સ્પષ્ટતા કરી છે કે તે હજુ પણ શોનો ભાગ છે. પરંતુ ‘અય્યર’ વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. શક્ય છે કે પાત્રને હાલની સ્ક્રિપ્ટમાંથી દૂર રાખવામાં આવ્યો હોય અથવા એક્ટર બ્રેક પર હોય.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)