News Continuous Bureau | Mumbai
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોને હસાવતો આવ્યો છે. આ શોની પાત્ર દયાબેને દર્શકો પર ખાસ અસર કરી છે. 2018માં દયાભાભી શો છોડીને ગયા પછી આજ સુધી કોઈ એ દિશા વકની નું સ્થાન લીધું નથી. હવે મેકર્સ નવી દયાબેનની શોધમાં છે.હવે લાગે છે કે શો ના મેકર્સ ને નવી દયાભાભી મળી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: Anupama twist: રાઘવ અને મોહિત ની એન્ટ્રી થી આવશે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન, કોઠારી પરિવાર સાથે ખ્યાતીજી ના રહસ્ય પરથી ઉઠશે પડદો
તારક મહેતા ના મેકર્સ ને મળી નવી દયાભાભી
મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સે કદાચ દયાબેનના પાત્ર માટે નવી એક્ટ્રેસ શોધી લીધી છે. કાજલ પિસલ, જે ઝનક માં જોવા મળી હતી તેને દયાબેન ના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ માં કાજલે ,જણાવ્યું હતું કે, ‘ઓડિશન પછી, હું નિર્માતાઓના ફોનની રાહ જોતી હતી, પરંતુ મને ક્યારેય ફોન આવ્યો નહીં. પછી મને લાગ્યું કે આ ભૂમિકા મારા માટે નથી.’
2025ની શરૂઆતમાં અસિત કુમાર મોદી એ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી તેમના પરિવાર અને બાળકો સાથે વ્યસ્ત રહેવા માંગે છે અને હવે શોમાં પરત નહીં આવે
