News Continuous Bureau | Mumbai
TMKOC Asit modi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે.17 વર્ષથી દર્શકોના દિલમાં રાજ કરતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અનેક વખત વિવાદોમાં ઘેરાયો છે. શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શો છોડનારા કલાકારોએ માનસિક હેરાનગતિ અને પગાર ન આપવાના ગંભીર આરોપ લગાવ્યા છે. આ અંગે અસિત મોદીએ કહ્યું કે આ આરોપો તેમને ખૂબ જ દુઃખ પહોંચાડે છે.
આ સમાચાર પણ વાંચો: Shantipriya bald look: શાંતિ પ્રિયા એ કરાવ્યું મુંડન, દિવંગત પતિના બ્લેઝર સાથે તસવીરો શેર કરી અક્ષય કુમાર ની અભિનેત્રી એ કહી આવી વાત
અસિત મોદી પર લાગેલા આરોપો
શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શો છોડનારા કલાકારોએ માનસિક હેરાનગતિ અને પગાર ન આપવાના આરોપ લગાવ્યા છે. આ મામલાઓ કોર્ટ સુધી પહોંચ્યા છે. અસિત મોદીએ કહ્યું કે તેઓ આ આરોપોથી ખૂબ જ પરેશાન છે અને આ બાબતો તેમને દુઃખી કરે છે.અસિત મોદીએ કહ્યું કે, “મેં ક્યારેય મારા કલાકારો સાથે ભેદભાવ કર્યો નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ મને સંપર્ક કરી શકે છે. હું હંમેશા શો ને પ્રથમ સ્થાન પર રાખું છું અને વ્યક્તિગત લાભ વિશે ક્યારેય વિચાર્યું નથી.”
View this post on Instagram
શોની સફળતા વિશે વાત કરતાં અસિત મોદીએ કહ્યું કે, “શોની લોકપ્રિયતા એ ટીમના પ્રયાસોનું પરિણામ છે. દરેક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે અને હું ખાતરી કરું છું કે તેમને કોઈ સમસ્યા ન થાય.”દયાબેનની વાપસી વિશે વાત કરતા મોદીએ કહ્યું, ‘હું દયા ભાભીને જલ્દી પાછી લાવીશ. લેખકો અને કલાકારોની આખી ટીમ દયા ભાભીની ખાલી જગ્યા ભરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. દયા ભાભી જલ્દી પાછા આવશે. આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી પાછી આવે. તેની પાસે કૌટુંબિક જવાબદારીઓ છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)