Site icon News Continuous Bureau | Mumbai

નેહા મહેતાએ શા માટે અંજલિભાભીનો રોલ છોડ્યો હતો; કારણ આવ્યાં સામે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષથી અંજલિભાભીનો રોલ નિભાવી ચૂકેલી નેહા મહેતા ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ લોકપ્રિય કૉમેડી શો સાથે ૧૨ વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી, પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે નેહા અને શોના નિર્માતા સાથે તકરાર થઈ છે, જેના કારણે નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ હકીકત કાંઈક બીજી જ છે. નેહાએ મીડિયાને જણાવ્યું કે આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મ તરફ વળી છું.

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, પરંતુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. આ ફિલ્મ સ્ત્રી સશક્તીકરણ ઉપર આધારિત છે અને નેહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મૉડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ નેહા મહેતાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેટરહાફમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version