Tarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર ચઢ્યો રામ ભક્તિ નો રંગ,રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે કરી રહ્યા છે આ કામ

Tarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. લોકોને હસાવવાની સાથે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે લોકોને ભક્તિ અને આધ્યાત્મિક સંગીત સાથે જોડવા માટે તૈયાર છે.શોના મેકર્સે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભક્તિ ધામ ચેનલ શરૂ કરી છે.

by Zalak Parikh
tarak mehta ka ooltah chashmah makers launch bhaktidham channel on ayodhya ram mandir inauguration

News Continuous Bureau | Mumbai

Tarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચીલા 15 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. એક તરફ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ તારક મહેતા ના મેકર્સ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ના દિવસે ભક્તિ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. આ ભક્તિ ચેનલ ની શરૂઆત ‘જલાલો દીપ ખુશીઓ કે મેરે શ્રી રામ આયે હૈં’ ગીત સાથે થશે. 

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સે લોન્ચ કરી ભક્તિ ચેનલ 

‘ભક્તિધામ’ ચેનલ પર નીલા ફિલ્મ પ્રોડક્શન અને નીલા મીડિયાટેક ના નિર્માતા અસિત મોદીએ કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય અમારા પાત્રો દ્વારા દર્શકો સાથે દરેક રીતે જોડવાનો છે. ચેનલ પરના દરેક ભક્તિ ગીત અને વિડિયો મનને શાંતિ આપવા માટે બનાવવામાં આવ્યા છે, જે લોકોને તેમના રોજિંદા જીવનની હલચલ માં શાંતિ આપશે.’


તમને જણાવી દઈએ કે, આ ભક્તિધામ ચેનલ ભક્તિ સંગીત  ‘જલાલો દીપ ખુશીઓ કે મેરે શ્રી રામ આયે હૈં’. જીટી સાથે પ્રીમિયર કરશે,જે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya ram mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા પહોંચ્યા ટીવી ના રામ, લક્ષ્મણ અને સીતા,થયું કલાકારો નું ભવ્ય સ્વાગત, જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More