Site icon News Continuous Bureau | Mumbai

હવે ટીવી પર દર અઠવાડિયે નહીં મળે હાસ્યનો ડોઝ, ટૂંક સમયમાં બંધ થઈ શકે છે ‘ધ કપિલ શર્મા શો’! આ પોસ્ટ પરથી મળ્યો સંકેત; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

'ધ કપિલ શર્મા શો' તાજેતરમાં જ શોમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કલાકારોને પ્રમોશન માટે આમંત્રિત ન કરવાને કારણે ચર્ચામાં હતો. આ કારણે ઘણો વિવાદ થયો હતો, જેના કારણે કપિલ શર્માનો બૉયકોટ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ વિવાદ ખતમ થઈ ગયો છે, પરંતુ હવે એવા અહેવાલો છે કે કપિલનો શો ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. મતલબ કે હવે દર્શકોને દર અઠવાડિયે હાસ્યનો ડોઝ નહીં મળી શકે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : બપ્પી લહરી પછી તેના સોનાના દાગીનાનું શું થશે? પુત્ર બપ્પા લહરી એ આપ્યો આ જવાબ

'ધ કપિલ શર્મા શો'  ટેલિવિઝન પર સૌથી વધુ પસંદ કરાયેલા શોમાંથી એક છે. દર અઠવાડિયે જાણીતા સ્ટાર્સ આ શોમાં ગેસ્ટ તરીકે આવે છે અને તેમના ઘ્વારા ઘણું મનોરંજન થાય છે. આવી સ્થિતિમાં હવે કપિલની એક પોસ્ટ બાદ શો બંધ થવાની ચર્ચાઓ વધી રહી છે. વાસ્તવમાં, કપિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને તેના યુએસ-કેનેડા પ્રવાસની જાહેરાત કરી છે.આ પોસ્ટને શેર કરતા કપિલે લખ્યું- 'હું વર્ષ 2022માં મારા યુએસ-કેનેડા ટૂર વિશે જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છું. ટૂંક સમયમાં તમારી સાથે મુલાકાત થશે.આ ટુર  11 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. કપિલની આ પોસ્ટથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ શો થોડા સમય માટે બંધ થઈ જશે. જો કે તે પછી શો ફરી એક નવી સીઝન સાથે પરત ફરશે. 

 

તમને જણાવી દઈએ કે જ્યારે 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કપિલ શર્મા શોમાં તેમની ફિલ્મના પ્રમોશન માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફિલ્મમાં મોટા સ્ટાર્સની કમીના કારણે તેમને શોમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ પછી ભારે વિવાદ સર્જાયો હતો. જોકે અનુપમ ખેર કપિલના બચાવમાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યું હતું, પરંતુ ત્યાં આવી સંવેદનશીલ ફિલ્મનું પ્રમોશન કરવું યોગ્ય નથી, તેથી તેને સ્વીકારવામાં આવ્યું ન હતું.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version