News Continuous Bureau | Mumbai
કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમના પર નરસંહારનો ઇનકાર કરવાનો આરોપ છે. મમતા બેનર્જીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બીજેપીના ફંડિંગ થી બની હતી. હવે વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ફિલ્મનું નામ, ‘દિલ્હી ફાઇલ્સ’ છે ‘બેંગાલ ફાઇલ્સ’ નથી.
વિવેક અગ્નિહોત્રી એ કર્યું ટ્વીટ
વિવેક અગ્નિહોત્રીએ તેના ટ્વિટમાં લખ્યું, “ખૂબ જ મહત્વપૂર્ણ: મને લાગે છે કે આ વીડિયોમાં મમતા દીદી મારા વિશે વાત કરી રહી છે. હા હું ‘ખિલાફત’ દ્વારા ઉશ્કેરવામાં આવેલા ડાયરેક્ટ એક્શન ડે હત્યાકાંડમાં બચેલા લોકોને મળવા બંગાળ આવ્યો હતો. અને ગોપાલ પાથાની ભૂમિકા માટે. પરંતુ તમે શા માટે ભયભીત છો? #TheKashmirFiles જાતિ નરસંહાર અને આતંકવાદ વિશે હતી. તમને શું લાગે છે કે તે કાશ્મીરી લોકોને બદનામ કરવા માટે બનાવવામાં આવી હતી?”વિવેકે લખ્યું, “તમે કયા આધારે દુર્ભાવના પૂર્ણ રીતે કહી રહ્યા છો કે તે રાજકીય પક્ષો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું? હું તમારી સામે બદનક્ષી અને નરસંહાર ને નકારવા બદલ કેસ કેમ દાખલ કરાઉ? બાય ધ વે આ ફિલ્મનું નામ #TheDelhiFiles છે, ‘નથી કે ‘બંગાળ ફાઇલ્સ’. અને મને કોઈ ચૂપ કરી શકશે નહીં. એક યુઝરે આના પર કમેન્ટ કરી – આ સાચું છે, વાસ્તવિકતાને કોઈ નકારી શકે નહીં.
VERY IMPORTANT:
In this video, I guess, @MamataOfficial didi is talking about me. Yes, I came to Bengal to interview survivors of Direct Action Day genocide instigated by Khilafat. And the role of Gopal Patha. Why are you scared? #TheKashmirFiles was about Genocide and… pic.twitter.com/x7OcaQ4A4k
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 8, 2023
વિવેક અગ્નિહોત્રી ની આવનારી ફિલ્મ
તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જબરદસ્ત સફળતા મળી હતી અને હવે તે પોતાની ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ પણ હજુ સુધી રીલિઝ થઈ નથી, જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે કોવિડ દરમિયાન ભારતે માત્ર વેક્સીન બનાવીને દેશવાસીઓની જ મદદ નથી કરી, પરંતુ તેણે વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી છે.