Site icon News Continuous Bureau | Mumbai

ટીવી સ્ક્રીન પર સૌથી વધુ પ્રિય ‘કૃષ્ણ’એ તેના ચાહકો સાથે શૅર કર્યો એક પ્રેમાળ સંદેશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

જોકે ટેલિવિઝન પર દરરોજ ઘણા ધાર્મિક કાર્યક્રમો રજૂ થાય છે અને સમાપ્ત થાય છે અને ઘણા સિરિયલ શો હજુ પણ ચાલી રહ્યા છે. પરંતુ સ્ટાર ભારતનો સૌથી લાંબો ચાલતો શો 'રાધાકૃષ્ણ' દર્શકોના દિલમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ધાર્મિક શો લાંબા સમયથી પ્રેક્ષકોના જીવનનો એક ભાગ બની ગયો છે. શોમાં રાધા-કૃષ્ણની પ્રેમકહાનીએ દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. આ શો એટલો લોકપ્રિય બની ગયો છે કે તેને ભારતીય ટેલિવિઝનનો ઐતિહાસિક શો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીના શુભ અવસરે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત ચર્ચાઓ દરેક જગ્યાએ ચાલી રહી છે. દરમિયાન ટેલિવિઝનના સૌથી પ્રિય કૃષ્ણમાંથી એક સુમેધ મુદગલકરે તેના પ્રખર ચાહકો અને પ્રેક્ષકો માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

સુમેધ મુદગલકરે કૃષ્ણનું પાત્ર ભજવીને દર્શકોનાં દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. સમય જતાં તે પ્રેક્ષકો દ્વારા સૌથી પ્રિય પાત્રમાંનું એક બની ગયું છે. ટેલિવિઝનનો આ પ્રિય, કૃષ્ણે તેના  ચાહકો સાથે એક સંદેશ શૅર કર્યો છે. તેમણે કહ્યું, “જન્માષ્ટમી એક એવો તહેવાર છે, જે આપણે બધા બાળપણથી ઊજવીએ છીએ. આ મારા જીવનનો સૌથી ખાસ તહેવાર છે. હવે જ્યારે હું ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી રહ્યો છું, દરેક જણ ઇચ્છે છે કે હું તેમની જન્માષ્ટમી ઉજવણીનો એક ભાગ બનીશ અને જો મારી પાસે દરેક જગ્યાએ કૃષ્ણ જેવી શક્તિ હોત, તો હું ચોક્કસપણે મારા પ્રેક્ષકો અને ચાહકો સાથે આ આનંદદાયક પ્રસંગની ઉજવણી કરીશ. પ્રેક્ષકો અને ચાહકો સાથે રહેવાનું ગમશે." 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ગોકુલધામના રહેવાસી આ કલાકારોએ આ સિવાય આ શોમાં પણ કામ કર્યું છે, અમુક કલાકારો ફિલ્મોનો પણ ભાગ રહ્યા છે

સુમેધ મુદગલકરે વધુમાં કહ્યું કે "તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને આદર માટે હું આભારી છું. મને આ તક આપવા બદલ હું ભગવાન કૃષ્ણનો આભારી છું. સમય અઘરો અને અણધારી રહ્યો હોવાથી, હું તમને બધાને વિનંતી કરું છું કે આ જન્માષ્ટમી સુરક્ષિત રીતે અને COVID-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઊજવો. હું આશા રાખું છું કે તમે આરોગ્ય અધિકારીઓ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરો અને સુરક્ષિત રહો. આપ સૌને સલામત જન્માષ્ટમીની શુભેચ્છાઓ. માહિતી માટે, તમને જણાવી દઈએ કે 'રાધાકૃષ્ણ' શો દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સ્ટાર ભારત ચૅનલ પર પ્રસારિત થઈ રહ્યો છે.

Salman Khan Matrubhoomi Release: સેન્સરના ચક્કરમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું સીધી OTT પર રિલીઝ થશે ફિલ્મ? જાણો સત્ય
Bhooth Bangla First Review: હસી હસીને લોટપોટ કરી દેશે ‘ભૂત બંગલા’, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ મચાવી ધૂમ!
Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Exit mobile version