આમિર ખાનના ત્રીજા લગ્નનું સત્ય આવ્યું સામે, નજીકના સૂત્રએ આપી આ માહિતી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 નવેમ્બર  2021

મંગળવાર

બોલિવૂડ એક્ટર આમિર ખાનના ત્રીજા લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. થોડા સમય પહેલા આમિર ખાને તેની પત્ની કિરણ રાવથી છૂટાછેડા લીધા હતા. તે દરમિયાન બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે હવે પતિ-પત્ની નથી. અમે સહ-માતાપિતા તરીકે એકબીજાના પરિવાર બનીશું. આ પછી, આમિર ખાનનું નામ તેની કો-એક્ટ્રેસ ફાતિમા સના શેખ સાથે જોડાયું અને પછી અચાનક તેના ત્રીજા લગ્નના સમાચાર મીડિયામાં આવી ગયા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાન એપ્રિલ મહિનામાં ત્રીજી વખત લગ્ન કરી શકે છે. પરંતુ હવે આ રિપોર્ટને ખોટો કહેવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાનના ત્રીજા લગ્નના અહેવાલોમાં બિલકુલ સત્ય નથી. આમિર ખાનની નજીકના એક સૂત્રએ જણાવ્યું છે કે તેના ત્રીજા લગ્નના સમાચાર ખોટા છે. તે આવું બિલકુલ નથી કરી રહ્યો.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે આમિર ખાન તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ પછી ત્રીજા લગ્નની જાહેરાત કરશે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ કારણથી એવું માનવામાં આવે છે કે આમિર આવતા વર્ષે એપ્રિલમાં ફેન્સને પોતાના લગ્નની માહિતી આપી શકે છે. કારણ કે અભિનેતા તેની ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ ઈચ્છતો નથી.

શું આમિર ખાન ફરીથી 'કુબૂલ હૈ' કહેવાની કરી રહ્યો છે તૈયારી? બોલિવૂડની આ કો-સ્ટાર સાથે ચાલી રહી છે લગ્નની ચર્ચા! જાણો વિગત

આમિર ખાને કિરણ રાવને છૂટાછેડા આપ્યા ત્યારથી અભિનેતાનું નામ ઘણીવાર ફાતિમા સના શેખ સાથે જોડવામાં આવ્યું છે. ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ 'દંગલ' અને 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન'માં જોવા મળી હતી. આમિર ખાન અને ફાતિમા સના શેખ રિલેશનશિપમાં હોવાની અફવા હતી. જો કે અભિનેત્રીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ફાતિમાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'બહુ વિચિત્ર હતું, મારી માતા ટીવી પર આ બધું જોતી હતી. બીજે દિવસે તે અખબારમાં મારો ફોટો જોઈને કહેતી 'જો તારો ફોટો આવ્યો છે'. હેડલાઈન સાંભળવા માટે હું તેમને પૂછતી હતી કે વાંચો અને જણાવો કે શું લખ્યું છે? મારા વિશેની આ વાતો સાંભળીને હું પરેશાન થઈ જતી. ત્યારે જરૂર જણાઈ કે મારે મારી વાત બધાની સામે રાખવી જોઈએ. ફાતિમાએ વધુમાં કહ્યું હતું કે, 'જ્યારે પણ કોઈની સામે આરોપ લાગે છે, ત્યારે સૌથી  પહેલું રિએક્શન જવાબમાં આવે છે. પરંતુ જો તમે આક્રમક હશો તો તમે હુમલો કરશો અને જો તમે થોડા નમ્ર હોવ તો પણ તમે તેના વિશે વાત કરશો. પરંતુ હવે હું માનું છું કે મારે સફાઈ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે શું કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી. લોકોનું કામ બોલવાનું છે, તેઓ બોલશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More