મૃત્યુ પછી પણ કરોડો રૂપિયાની સંપત્તિ મૂકતી ગઈ છે આ અભિનેત્રીઓ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

શનિવાર

બૉલિવુડની દુનિયામાંથી કોઈનું મૃત્યુ થાય તો એ ખૂબ જ દુ:ખદ છે અને તેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી. આજે આપણે એવી કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેઓ આ દુનિયામાં નથી. આ અભિનેત્રીઓએ ખૂબ જ નાની ઉંમરે બૉલિવુડની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. તેમણે તેમનાં મૃત્યુ પછી કરોડોની સંપત્તિ પાછળ છોડી દીધી છે. ચાલો કેટલીક અભિનેત્રીઓ પર નજર કરીએ જેમણે કરોડોની સંપત્તિ પાછળ છોડી દીધી.

દિવ્યા ભારતી

દિવ્યા ભારતી બૉલિવુડની તે અભિનેત્રીઓમાંની એક છે, જેણે ખૂબ જ નાની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું અને સફળ રહી, પરંતુ તે ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામી. તે જ્યાં રહી હતી તે મકાનના પાંચમા માળેથી પડ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પછી, તે 70 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી દીધી.

શ્રીદેવી

શ્રીદેવીએ પોતાની બૉલિવુડ કારકિર્દીની શરૂઆત ત્યારે કરી જ્યારે તે માત્ર 4 વર્ષની હતી. તેણે પોતાના જીવનમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જેણે તેની અભિનય કારકિર્દી ખૂબ સારી બનાવી. જ્યારે તે 2018માં અચાનક મૃત્યુ પામી ત્યારે તે હજી પણ શૂટિંગ કરી રહી હતી. શ્રીદેવીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ પછી તેણે 247 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી દીધી.

રીમા લાગુ

રીમા લાગુએ પોતાની લાંબી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમાંથી કેટલીક હતી ‘મૈંને પ્યાર કીયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘સાજન’. રીમા લાગુનું 2017માં હાર્ટ ઍટેકથી અવસાન થયું હતું. રીમા લાગુએ માતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી હતી. તેના મૃત્યુ પછી, રીમા લાગુએ 15થી 20 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી દીધી.

વિધવાનું જીવન જીવી રહી છે આ ટોચની અભિનેત્રીઓ. પ્રથમ ક્રમાંકની અભિનેત્રી પાસે છે 304 કરોડ રૂપિયાની સંપત્તિ.; જાણો કોણ છે તે અભિનેત્રીઓ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More