News Continuous Bureau | Mumbai
TMKOC abdul: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષ થયો લોકો નું મનોરંજન કરી રહ્યું છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તારક મહેતા માં અબ્દુલ ની ભૂમિકા ભજવી રહેલા અભિએન્ટ શરદ સાંકલા એ શો ને અલવિદા કહી દીધું છે. હવે આ મામલે અભિએન્ટ એ મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો: TVK Flag Launch: સાઉથ એક્ટર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લોન્ચ કર્યું; જુઓ વિડીયો
તારક મહેતા ના અબ્દુલ એ જણાવી હકીકત
એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન શરદે તારક મહેતા શો છોડવાના સમાચાર ને અફવા ગણાવતા કહ્યું, હું ક્યાંય ગયો નથી અને શોનો ભાગ છું. આ શોની સ્ટોરીલાઈન એવી છે કે મારું પાત્ર અત્યારે ત્યાં નથી, પણ તે જલ્દી જ પાછું આવશે. તે કથાનો એક ભાગ છે. આ એક સુંદર અને લાંબો સમય ચાલતો શો છે અને હું મારા પાત્ર માટે જાણીતો છું, તે એક મહાન સિદ્ધિ છે. હું શો કેમ છોડીશ? હું શો છોડવાનું વિચારી પણ શકતો નથી.”
#TMKOC’s Abdul AKA #SharadSankla Rubbishes Rumours About His Exit From Show: ‘I Am Not Going Anywhere…’https://t.co/JYmhilxAHU
— Telly Talk (@TellyTalkIndia) August 22, 2024
પોતાની વાત ને આગળ વધારતા શરદે કહ્યું, “નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ મારા પરિવાર જેવું છે અને નિર્માતા અસિત મોદી મારા કૉલેજના મિત્ર છે, એવું ક્યારેય નહીં બને કે હું શો છોડી દઉં. જ્યાં સુધી શો ચાલુ રહેશે ત્યાં સુધી હું તેનો હિસ્સો રહીશ.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)