Site icon

નેહા મહેતા ઉર્ફે અંજલી ભાભીના આરોપોથી અસિત મોદી થયા દુઃખી-અભિનેત્રીને ફી ના ચૂકવવાના મામલે નિર્માતાએ કર્યો આ ખુલાસો

News Continuous Bureau | Mumbai 

સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. કોમેડી શો (comedy show)સતત વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ(Shailesh Lodha) શોને અલવિદા કહ્યું હતું. તે જ સમયે, તાજેતરમાં જ શોમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહેલી નેહા મહેતાએ(Neha Mehta) મેકર્સ પર મોટો આરોપ લગાવ્યો હતો. નિર્માતાઓએ આ અંગે નિવેદન જારી કરીને તેને પાયાવિહોણું ગણાવ્યું છે. હવે એવા અહેવાલો છે કે શોના નિર્માતા અસિત મોદી નેહા મહેતાના દાવાથી દુઃખી થયા છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ટીમના અધિકારીના જણાવ્યા અનુસાર, અસિત મોદી નેહા મહેતાના બાકી ચૂકવણી ન કરવાના દાવાથી ખરેખર દુઃખી છે. સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે ટીમે તેમનો સંપર્ક(contact) કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મીડિયા હાઉસ દ્વારા અધિકારીને ટાંકવામાં આવ્યું હતું કે, "અમે ખરેખર દુઃખી છીએ. બે વર્ષ પછી તેને સમજાયું કે 6 મહિનાના પૈસા બાકી (payment)છે. શું તેણે પ્રોડક્શન હાઉસને (production house)પત્ર મોકલ્યો કે અમારી સાથે વાતચીત કરી? ખરેખર અમે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે અમને જવાબ ન આપ્યો.અભિનેત્રીના આરોપોનો(allegations) જવાબ આપતા પ્રોડક્શન હાઉસે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. એક મીડિયા હાઉસ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે, અમે અમારા કલાકારને અમારો પરિવાર માનીએ છીએ. અમે ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે નેહા મહેતાનો ઘણી વખત સંપર્ક કર્યો છે. તેણે છેલ્લા બે વર્ષથી અમારા તમામ સંદેશાવ્યવહારનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું અને અમને મળ્યા વિના પણ તેણે શો છોડી દીધો. જે નિર્માતાઓએ તેમને 12 વર્ષની ખ્યાતિ અને કારકિર્દી આપી છે તેમના વિશે ખોટા આક્ષેપો કરવાને બદલે અમારા ઈમેલનો(email) જવાબ આપો.

આ સમાચાર પણ વાંચો : મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે બાબુરાવ રાજુ અને શ્યામની તિકડી -ફિરોઝ નડિયાદવાલા એ હેરા ફેરી 3 ને લઇને કરી આ વાત

તમને જણાવી દઈએ કે, નેહા મહેતાએ વર્ષ 2020માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. હાલ સુનૈના ફોજદારે(sunaina faujdar) શોમાં તેની જગ્યા લીધી છે. મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું કે, 2020માં શો છોડતા પહેલા મેં તારક મહેતામાં 12 વર્ષ સુધી અંજલિ તરીકે કામ કર્યું હતું. અને મારા છેલ્લા છ મહિનાના પૈસા બાકી છે. શો છોડ્યા પછી, મેં તેમને મારા બાકી રહેલા પૈસા વિશે ઘણી વાર ફોન કર્યો. મને ફરિયાદ(complaint) કરવાનું પસંદ નથી. આશા છે કે ટૂંક સમયમાં કોઈ ઉકેલ આવશે અને મને મારી મહેનતની કમાણી મળશે.

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
Exit mobile version