કોવિડ -19ની નકલી રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? જુઓ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના આવનારા એપિસોડમાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર

 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગોકુલધામ સોસાયટીમાં આયોજિત કોવિડ -19 રસીકરણ અભિયાન જોખમમાં છે. ગોકુલધામના રહેવાસીઓ ઉપરાંત આ રસીકરણ અભિયાન અન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ગોકુલધામ સોસાયટીની બહારના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે, એથી ભીડેએ નજીકમાં પણ આ અભિયાન વિશે માહિતી આપી હતી, પણ બહારથી કોઈ આવતું નથી એ જોઈને ભીડે પણ વિચારમાં પડી ગયા. સમસ્યા એ છે કે સોસાયટીની બહારના કેટલાક લોકો આ કારણે રસીકરણ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. 

કેટલાક લોકોએ સોસાયટીની બહારના પોસ્ટર પર લખ્યું છે કે ગોકુલધામ સોસાયટીના કોવિડ -19 રસીકરણ કૅમ્પની રસી નકલી છે અને દરેકને કોવિડ -19 રસીના નામે ભેળસેળયુક્ત ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. ગોકુલધામના લોકો આ પોસ્ટર જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. છેવટે આ કોણે કર્યું છે, અને શા માટે, કોઈ આ સમજી શકતું નથી.

EDએ જેકલિન ફર્નાન્ડીસની પાંચ કલાક પૂછપરછ કરી, સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે આ કેસ

આની તપાસ કરવી જરૂરી ગણીને ગોકુલધામના રહેવાસીઓએ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને ફોન કર્યો, પરંતુ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડે આ બાબતે પહેલેથી જ વાકેફ છે અને તે નકલી કોવિડ -19 રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ કરવા માટે સોસાયટી સુધી પહોંચવાના છે. આ વખતે ગોકુલધામના તમામ રહેવાસીઓ તેમની સામેના આ આરોપથી ખૂબ ચિંતિત છે. તેઓ માને છે કે ગોકુલધામ સોસાયટીમાં આવું ખોટું કરવું અશક્ય છે. આવી સ્થિતિમાં, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? વધુ જાણવા માટે, જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More