Site icon News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર-નવરાત્રી ટ્રેક માં થશે શો ના આ મહત્વ ના પાત્ર ની એન્ટ્રી- ટૂંક સમયમાં શોમાં આવશે નવો ટ્વિસ્ટ

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તે તમામ પાત્રો વિશે શક્ય તેટલું વધુ જાણવા માંગે છે. શોની ગરબા ક્વીન એટલે કે દયાબેન લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. શોમાં તેના વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવા સમાચાર છે કે ‘ટપ્પુ કે પાપા’ બોલતી કોયલ ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે.

Join Our WhatsApp Channel

આ દિવસોમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવરાત્રી સેલિબ્રેશનનો ટ્રેક ચાલી રહ્યો છે. ગોકુલધામના તમામ લોકો ગરબા ની તૈયારીમાં લાગી ગયા છે. તે જ સમયે, જેઠાલાલ સાંજની પ્રથમ આરતી કરવાના છે. તેઓ પૂજામાં દયાના પાછા આવવા માટે માતાને વિનંતી કરશે. જેના પછી શક્ય છે કે માતા તેની ઈચ્છા સાંભળે. સમાચાર મુજબ, દયાબેન નવરાત્રી પૂજામાં પાછા આવશે.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન ને જન્મદિવસ ની શુભેચ્છા આપવા મોડી રાત્રે જલસા ની બહાર એકઠા થયા ચાહકો -મેગાસ્ટારે આ રીતે આપી તેમના પ્રશંસકો ને સરપ્રાઈઝ

તારક મહેતામાં દયાબેનની વાપસીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે દયાબેન લાંબા સમયથી અમદાવાદમાં તેની માતા સાથે રહે છે. બીજી તરફ જેઠાલાલ પોતાની પત્નીને વહેલી તકે પરત લાવવા માંગે છે. શોના ચાહકો પણ ઈચ્છે છે કે તેમના દયાબેન જલ્દી આવે. હવે આ વખતે જોવાનું એ રહેશે કે ફેન્સની આ ઈચ્છા પૂરી થાય છે કે નહીં.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version