ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આઠ વર્ષ સુધી ટપુ તરીકેનો કિરદાર નિભાવનાર ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ ૪૮ વર્ષની વયના હતા. આશરે બે સપ્તાહ અગાઉ તેમને કોરોના લાગુ પડયો હતો જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમની ઉપર ચાલી રહેલો ઉપચાર સફળ રહ્યો નહોતો.
મુંબઈમાં લોકડાઉન રહેશે કે જશે તેની જાણકારી આજ સાંજ સુધીમાં સાર્વજનિક થશે.
આમ ગમે તેટલી ફેસીલીટી હોય તોપણ કોરોના સ્વજનને છીનવી લે છે. આમાં સેલીબ્રીટી કે સામાન્ય માણસમાં કોઈ ફરક નથી. આથી સરકાર વારંવાર કહી રહી છે કે માસ્ક પહેરો અને બે ગજ નું અંતર રાખો.
