Site icon

TMKOC jethalal: શું ખરેખર જેઠાલાલ એ તારક મહેતા શો છોડવાને લઈને કરી હતી અસિત મોદી સાથે ગેરવર્તણૂક? દિલીપ જોશી એ જણાવી હકીકત

TMKOC jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઝગડો થયો હતો.તેવું એક મીડિયા રિપોર્ટ માં કહેવામાં આવ્યું હતું.રિપોર્ટ માં તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે દિલીપ જોશી એ અસિત મોદી નો કોલર પણ પકડી લીધો હતો. હવે આ મામલે દિલીપ જોશી એ મૌન તોડ્યું છે.

TMKOC jethalal aka dilip joshi asit kumar modi fight truth

TMKOC jethalal aka dilip joshi asit kumar modi fight truth

News Continuous Bureau | Mumbai

TMKOC jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16  લોકો નું મનોરંજન કરી રહ્યું છે. હવે આ શો ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે..મીડિયા રિપોર્ટ માં એવી દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઝગડો થયો હતો. રિપોર્ટ માં તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે દિલીપ જોશી એ અસિત મોદી નો કોલર પણ પકડી લીધો હતો. હવે આ મામલે દિલીપ જોશી એ મૌન તોડ્યું હકીકત જણાવી  છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh and Aishwarya: અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના આ કિંમતી અંગ નો ઉતરાવ્યો છે વીમો

તારક મહેતા ના દિલીપ જોશી એ જણાવી હકીકત 

દિલીપ જોશી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘મીડિયામાં જે વસ્તુઓ આવી રહી છે તેના પર હું સ્પષ્ટતા આપવા માંગુ છું. આ બધી અફવાઓ છે. મારી અને અસિત ભાઈ વચ્ચે આવું કાંઈ થયું નથી, બધા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. મને આ વસ્તુઓ જોઈને દુઃખ થાય છે. ‘તારક મહેતા’ એક એવો શો છે જેનો અર્થ મારા માટે ઘણો અર્થ છે અને લાખો ચાહકો તેને પસંદ કરે છે. જ્યારે પણ કોઈ પાયાવિહોણા સમાચાર ફેલાવે છે, ત્યારે તે શોના સાચા દર્શકોને નુકસાન પહોંચાડે છે.’


પોતાની વાત ને આગળ વધારતા દિલીપ જોશી એ જણાવ્યું કે,’અગાઉ મારા શો છોડવાની વાતો ચાલી હતી જે ખોટી હતી. દર અઠવાડિયે આ બધું મારી સાથે સામે આવી રહ્યું છે. હવે આસિતભાઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે નવી નવી વાર્તાઓ ઘડવામાં આવી રહી છે. આ વસ્તુઓને વારંવાર જોઈને દુઃખ થાય છે. મને લાગે છે કે કેટલાક લોકો શોની સફળતાથી ઈર્ષ્યા કરે છે, તેથી જ તેઓ આ બધું ફેલાવી રહ્યા છે. મને ખબર નથી કે આ સમાચાર ફેલાવવા પાછળ કોણ છે. પરંતુ હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હું અહીં છું. હું દરરોજ સખત મહેનત કરું છું અને તે પણ એટલા જ પ્રેમ અને જુસ્સાથી. હું ક્યાંય જતો નથી. હું ઘણા વર્ષોથી આ પ્રવાસનો હિસ્સો રહ્યો છું અને રહીશ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત
Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો
Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
Exit mobile version