Site icon News Continuous Bureau | Mumbai

જેઠાલાલનું જૂઠ માત્ર બાપુજી જ નહીં, ગોકુલધામવાસીઓ સામે પણ આવી ગયું, બાપુજી ગુસ્સાથી લાલપીળા થઈ ગયા; જાણો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું જૂઠ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

અરે શું… મહેતાસાહેબ પાસેથી આ અપેક્ષા નહોતી. તેઓ જેઠાલાલની ફાયર બ્રિગેડ હતા, જે દરેક મુશ્કેલીમાં તેમની પડખે ઊભા રહ્યા છે અને તેમની દરેક સમસ્યાનું સમાધાન પણ શોધી કાઢતા. થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે મહેતાસાહેબે જેઠાલાલ માટે પોતાની નોકરી પણ દાવ પર લગાવી  દીધી હતી, તો આજે અચાનક શું થયું કે મહેતાસાહેબે આ બધું કર્યું. આવી અપેક્ષા જેઠાલાલને તો શું, આપણને પણ નહોતી. જેઠાલાલના શ્રેષ્ઠ મિત્ર મહેતાસાહેબે તેમની સાથે દગો કર્યો છે, તેમનું વચન તોડ્યું છે. એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું આગામી સપ્તાહ જબરદસ્ત ધમાલ મચાવનારું છે.

જો તમને આ મામલો સમજાયો નથી તો ચાલો તમને આખો મામલો જણાવીએ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોકુલધામ સોસાયટીમાં આ દિવસોમાં રસીકરણ શિબિર ચાલી રહી છે. જેમાં કોવિડની રસી બધાને આપવામાં આવી રહી છે, પરંતુ જેઠાલાલને સોયનો ડર લાગે છે, એથી તેમણે તાવ હોવાનો ડોળ કરીને રસી ટાળવાનો પ્રયાસ કર્યો છે. મહેતાસાહેબ આ વાત જાણતા હતા, પણ જેઠાલાલે બાપુજીને કહેવાની ના પાડી હતી. છતાં મહેતાસાહેબે જેઠાલાલનું જુઠ્ઠું માત્ર બાપુજી જ નહીં, બધા ગોકુલધામવાસીઓ સામે કહ્યું. જેના કારણે હવે બાપુજી ગુસ્સાથી લાલ અને પીળા થઈ ગયા છે.

ભાગ્યે જ કોઈનાં વખાણ કરતી કંગના રનૌતે કરણ જોહરની 'શેરશાહ'નાં કર્યાં વખાણ, કારગિલ યુદ્ધના શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે આ ફિલ્મ

હવે પ્રશ્ન એ છે કે બાપુજી જેઠાલાલનું શું કરશે? હવે જેઠાલાલે ઇન્જેકશન લેવું પડશે, પણ એ પહેલાં તેમણે જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે. કદાચ બાપુજી તેમને થોડી સજા પણ આપશે. ઠીક છે, ગમે એ હોય પણ એક વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં, તારક મહેતા શોમાં ઘણી મજા આવશે, કારણ કે પ્રેક્ષકોને મનોરંજનનો ડબલ ડોઝ મળશે.

Salman Khan Maatrubhumi।ભાઈજાનની ઈદ મુબારક! સલમાન ખાને ‘માતૃભૂમિ’ના નવા રોમેન્ટિક ગીતથી જીત્યા ફેન્સના દિલ, જુઓ વીડિયો
Katrina Kaif Vicky Kaushal। કેમેરા સામે આવી ગયો કેટરીનાવિક્કીના લાડલાનો ચહેરો! પણ ફોટો ક્લિક કરતા પહેલાં પેપરાઝી સામે કેમ મૂકી આ આકરી શરત?
Office Office Doordarshan| ‘ઓફિસ ઓફિસ’ સીરિયલની ટીવી પર વાપસી! શું ફરી જોવા મળશે પંકજ કપૂર? ડાયરેક્ટર ઉમેશ મહેરાએ આપ્યું મોટું નિવેદન
Anupama। ‘અનુપમા’ શો બંધ કરાવવા પર અડ્યા ફેન્સ? પ્રોડ્યુસર રાજન શાહીની એક ભૂલથી ટીઆરપી ધડાધડ ગગડી, આ રહ્યું કારણ
Exit mobile version