Site icon News Continuous Bureau | Mumbai

નટુ કાકા ની જેમ બોલિવૂડના આ સ્ટાર્સના પણ અંતિમ સંસ્કાર મેકઅપ સાથે થયા હતા જાણો તે સ્ટાર્સ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

બુધવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટ્ટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકનું તાજેતરમાં નિધન થયું છે. તે કેન્સરથી પીડિત હતા અને છેલ્લા શ્વાસ સુધી કામ કરવાની ઈચ્છા ધરાવતા હતા. તે મૃત્યુ પામે તે પહેલા તેણે તેની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેના અંતિમ સંસ્કાર મેક-અપ સાથે કરવામાં આવે. જો કે, નટ્ટુ કાકા એકમાત્ર કલાકાર નથી જેમણે અંતિમવિધિ પહેલા મેકઅપ કરાવ્યો હતો. આ પહેલા પણ ઘણા એવા સ્ટાર્સ આવ્યા છે, જેમની અંતિમ ઈચ્છા મરણોત્તર મેકઅપ સાથે દુનિયા છોડવાની હતી. કેમેરાની સામે હંમેશા મેકઅપમાં રહેતા આ કલાકારોની ઈચ્છા હતી કે, જ્યારે પણ તેઓ પંચતત્વમાં ભળી જાય, ત્યારે તેઓ સજી-ધજીને આ દુનિયાને અલવિદા કહે. આજે અમે તમને આવા જ અન્ય અભિનેતાઓ વિશે જણાવીએ જેમણે જીવનના સ્ટેજ પર છેલ્લું પાત્ર ભજવતાં આ જ રીતે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

શ્રીદેવી

શ્રીદેવી, જેમણે તેમના અદભુત અભિનય દ્વારા લોકોના દિલ પર રાજ કર્યું, તેમણે 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા સુપરસ્ટારને અંતિમવિધિ પહેલા દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. તેણીનો સમગ્ર મેક-અપ રાણી મુખર્જીના મેક-અપ મેન રાજેશ પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો કારણ કે શ્રીદેવી રાજેશ પાટીલનું કામ પસંદ કરતી હતી. શ્રીદેવીને તેના પ્રિય જ્વેલરીથી સજાવવામાં આવી હતી. તેના કપાળ પર લાલ સિંદૂર અને બિંદીયા મુકીને શ્રીદેવી તેની અંતિમ યાત્રા પર નીકળી.

દિવ્યા ભારતી

દિવ્યા ભારતી બોલીવુડની એ અભિનેત્રીઓમાંની એક હતી જેમણે નાની ઉંમરમાં મોટું નામ કમાવ્યું હતું. 25 ફેબ્રુઆરી, 1974 ના રોજ મુંબઇમાં જન્મેલી દિવ્યા આજે અમારી સાથે હોત તો 47 વર્ષની હોત. દિવ્યા અને સાજિદ નડિયાદવાલાના લગ્નના સમાચાર બહાર આવ્યા ન હતા. બંને જલદી જ દુનિયાને આ સારા સમાચાર આપવા જઈ રહ્યા હતા. પરંતુ તેના પહેલા જ બનેલા અકસ્માતમાં દિવ્યાએ ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમની અંતિમ યાત્રા ખૂબ ધામધૂમથી નીકળી હતી. દિવ્યાને દુલ્હન ની જેમ સોનાના ઘરેણાં અને લાલ ચુનરીથી સજાવીને વિદાય આપવામાં આવી હતી.

સ્મિતા પાટીલ

સ્મિતા પાટીલ, જે બોલીવુડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હતી, તેની છેલ્લી ઈચ્છા હતી કે જ્યારે તે આ દુનિયાને અલવિદા કહે, ત્યારે સુહાગિનની જેમ સજાવવામાં આવે. સ્મિતા પાટીલના મેક-અપ મેન દીપક સાવંતના જણાવ્યા અનુસાર, સ્મિતા ઘણી વખત તેની માતાને કહેતી હતી કે જ્યારે પણ હું મૃત્યુ પામુ ત્યારે મને દુલ્હન તરીકે વિદાય આપવામાં આવે. અને તેથી તે થયું.

મુમતાઝ, જે રાજ કપૂર સાથે ફિલ્મ 'મેરા નામ જૉકર'માં કરવાની હતી કામ, આ અભિનેતાને કારણે ફિલ્મ ગુમાવી; જાણો વિગત

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version