Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા…’ના ફેન્સ માટે સારા સમાચાર, શો ના નિર્માતા લાવી રહ્યા છે આ નવી એનિમેટેડ વેબસિરીઝ ; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022        

Join Our WhatsApp Channel

ગુરુવાર 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. નિર્માતા અને લેખક અસિત કુમાર મોદીએ તેમની નવી એનિમેટેડ વેબસિરીઝ 'તારક મહેતા કા છોટા ચશ્મા' વિશે ખુશી વ્યક્ત કરી છે. આ શો 24 ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. તે તેના લોકપ્રિય સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર આધારિત છે.હવે 'તારક મહેતા કા છોટા ચશ્મા' દરેકને ખાસ કરીને બાળકોને તેમજ પરિવારના તમામ સભ્યોને હસાવશે. અસિત કુમાર મોદી કહે છે, 'એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યાં સુધી તમારો કન્ટેન્ટ સારું હોય ત્યાં સુધી, તે કોઈપણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે.'

લેખકે  વધુમાં ઉમેર્યું, 'ગયા મહિને, એમેઝોને તેના ફાયર ટીવી ઉપકરણ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી વધુ સર્ચ કરાયેલા ટીવી શો તરીકે નામ આપવામાં આવ્યું હતું. અને હવે, આ શોનું એનિમેટેડ વર્ઝન, 'તારક મહેતા કા છોટા ચશ્મા' નેટફ્લિક્સ પર અમારા દર્શકો માટે આવી રહ્યું છે.આ એનિમેટેડ શ્રેણીમાં ગોકુલધામ સોસાયટીના તમામ પાત્રો પણ હશે જેઓ નવા અવતારમાં જોવા મળશે. અસિતે કહ્યું, 'આપણા માટે ખુશી ફેલાવવી મહત્વપૂર્ણ છે. અમને આનંદ છે કે અમારા પ્રેક્ષકો, ખાસ કરીને બાળકો તારક મહેતા કા છોટા ચશ્મા OTT ને પણ માણશે.’

શાહરુખ ખાન નો પુત્ર આર્યન ખાન જલ્દી જ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ, પિતા ની જેમ એક્ટિંગ નહીં પણ કરશે આ કામ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે આ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. શોમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરિવારોની વાર્તા બતાવવામાં આવી છે. આ સોસાયટીમાં દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે અને રહે છે, તેથી આ સમાજની આ વાર્તા દેશભરમાં પસંદ કરવામાં આવે છે. આ શો ના દરેક પાત્રો ઘર ઘર માં લોકપ્રિય થઇ ગયા છે. આ શો પહેલીવાર વર્ષ 2008માં પ્રસારિત થયો હતો.

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version