TMKOC:’તારક મહેતા…’ ફેમ જેનિફર મિસ્ત્રી જાતીય સતામણીનો કેસ જીતી, અભિનેત્રીને મળશે 25-30 લાખનું વળતર..

TMKOC: અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે અસિત મોદી સામે જેનિફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે. 'તારક મહેતા...' સંબંધિત જાતીય સતામણીના કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને નિર્માતા અસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

by kalpana Verat
TMKOC Tarak mehta fame jennifer mistry bansiwal won harassment case against producer asit modi.

 News Continuous Bureau | Mumbai 

TMKOC: ટેલિવિઝન જગતનો લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શોમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે થોડા મહિના પહેલા શો ના નિર્માતા અસિત કુમાર મોદી સામે માનસિક અને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે આ કેસમાં જેનિફરની જીત થઈ છે.

  જાતીય સતામણી કેસમાં જેનિફર મિસ્ત્રીની જીત

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, આ કેસમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે તેમને જેનિફર મિસ્ત્રીને બાકીની રકમ અને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે. જોકે અહેવાલ છે કે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આ નિર્ણયથી ખુશ નથી. અભિનેત્રીએ કહ્યું કે, આ નિર્ણય મારા પક્ષમાં છે, મેં લગાવેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. મેં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 1 વર્ષ સુધી મુંબઈ પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. પછી મેં મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી અને હવે મને ન્યાય મળ્યો છે. અસિત કુમાર મોદીને મારી ચૂકવણીને જાણીજોઈને રોકી રાખવા બદલ મને મારી બાકી રકમ અને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે કુલ રૂ. 25-30 લાખ છે. આ કેસનો નિર્ણય 15 ફેબ્રુઆરીએ જ આવી ગયો હતો, પરંતુ મને મીડિયા સમક્ષ લાવવાની મનાઈ હતી. હવે તેને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને મને હજુ સુધી મારી બાકી રકમ મળી નથી. દોષી સાબિત થયા બાદ પણ આરોપીઓને કોઈ સજા કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  WhatsApp New Features: વોટ્સએપમાં થવા જઈ રહ્યો છે આ અદ્ભુત બદલાવ, જલ્દી જ રોલ આઉટ થશે આ નવું ફીચર

મને હજુ પણ મારી બાકી રકમ મળી નથી

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, તેને નથી લાગતું કે મને હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો છે. 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને મને હજુ પણ મારી બાકી રકમ મળી નથી. શ્રી મોદી જાતીય સતામણી માટે દોષિત સાબિત થયા હોવા છતાં, ત્રણેય આરોપીઓને કોઈ સજા આપવામાં આવી નથી. સોહિલ રામાણી અને જતીન બજાજને નિર્ણયમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, જે મને નિરાશ કરે છે. સ્થાનિક સમિતિએ મારી વાજબી રકમનો આદેશ આપ્યો જેનો હું હકદાર છું. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે મારો કેસ બનાવટી ન હતો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ નહોતું કર્યું

અભિનેત્રીએ આ આરોપો લગાવ્યા હતા

તમને જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું હતું કે હોળીના દિવસે શોના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તે દિવસે આ ત્રણેએ જાણી જોઈને અભિનેત્રીને લાંબો સમય સેટ પર બેસાડી રાખી હતી. બધા ગયા પછી ત્રણેય જેનિફર સાથે ગેરવર્તન કર્યું. જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. 

અભિનેત્રીના આ આરોપો પર અસિત મોદીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે જેનિફર તેના કામ પર બિલકુલ ધ્યાન નથી આપતી. પ્રોડક્શન તરફથી દરરોજ તેની સામે ફરિયાદો થતી હતી. શૂટિંગના છેલ્લા દિવસે પણ તેણે સેટ પર ખૂબ જ દુર્વ્યવહાર કર્યો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More