Site icon

તુનિષા શર્માએ પાછળ છોડી દીધી આટલી કરોડોની સંપત્તિ, અભિનેત્રી હતી આલીશાન ઘર, લક્ઝરી કારની માલિક

સફળ કારકિર્દી વચ્ચે, તુનિષા એ મોટી રકમ એકઠી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષા શર્માએ 15 કરોડની પ્રોપર્ટી તેની પાછળ છોડી દીધી છે.

tunisha sharma left behind property worth so many crores

તુનિષા શર્માએ પાછળ છોડી દીધી આટલી કરોડોની સંપત્તિ, અભિનેત્રી હતી આલીશાન ઘર, લક્ઝરી કારની માલિક

 News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી તુનીષા શર્માની ( tunisha sharma )  કથિત આત્મહત્યાએ મનોરંજન ઉદ્યોગની ( property  ) સાથે સમગ્ર દેશમાં શોક ની લહેર છે. 24 ડિસેમ્બરે, તુનીશાએ તેના ટીવી શો અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. તે જ સમયે, તુનીશાના પરિવારજનોએ શીજાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ પોલીસને જણાવ્યું છે કે તુનીષાએ શીજાન ના કારણે આત્મહત્યા કરી છે.તુનીષાની માતાએ જણાવ્યું કે, શીજાન સતત એવી વાતો કહેતો હતો કે શ્રદ્ધા વોકરની હત્યા બાદ દેશમાં વાતાવરણ સારું નથી, તેમના ધર્મ અલગ-અલગ છે, જેના કારણે તેમના સંબંધો ટકી શકતા નથી. શીજાનના બ્રેકઅપને કારણે તુનિષા ખૂબ જ ટેન્શનમાં હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Community

તુનિષા શર્મા પાસે કરોડોની સંપત્તિ છે

સફળ કારકિર્દી વચ્ચે, તુનિષા એ મોટી રકમ એકઠી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુનિષા શર્મા પાસે 15 કરોડની સંપત્તિ છે. તેની પાસે કરોડોની કિંમતનો આલીશાન એપાર્ટમેન્ટ છે. આ સિવાય તુનિષા શર્માના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર છે. તેણીએ પોતાની મહેનતથી માત્ર 20 વર્ષમાં કરોડોની સંપત્તિ એકઠી કરી હતી, જોકે તે તેની ખુશીનો આનંદ માણી ના શકી.

આ સમાચાર પણ વાંચો:  ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં ફોરેન્સિક ટીમની ટેલિવિઝન શોના સેટ પર તપાસ હાથ ધરવામાં આવી

 પિતાના મૃત્યુ બાદ અભિનેત્રી ડિપ્રેશનમાં હતી

અભિનેત્રી ના મૃત્યુ થી તેનો પરિવાર ખૂબ જ દુઃખી છે, તેઓએ તેમની પુત્રીને ગુમાવી દીધી છે. તેમની આવકનો કોઈ સ્ત્રોત બાકી નથી. વાસ્તવમાં તુનિષા તેના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હતી. તુનિષાએ થોડા વર્ષો પહેલા તેના પિતાને ગુમાવ્યા હતા. આ પછી તેના પિતરાઈ ભાઈ અને દાદીનું પણ અવસાન થયું.તુનિષા એ નાની ઉંમરમાં જ મોટું પદ હાંસલ કર્યું હતું. એક્ટિંગ સિવાય તે એક શાનદાર ડાન્સર પણ હતી. ટીવી સિવાય અભિનેત્રીએ સિલ્વર સ્ક્રીન પર પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. તુનિષાએ ટીવી સીરિયલ ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ થી અભિનયની શરૂઆત કરી હતી. તુનિષાએ ‘કહાની 2’, ‘દબંગ 3’ ‘ફિતૂર’, ‘બાર બાર દેખો’ જેવી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય બતાવ્યું છે.

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version