Site icon

રામાનંદ સાગરની પૌરાણિક સીરીયલ ‘શ્રી કૃષ્ણ’માં ભીષ્મ પિતામહ નો રોલ કરનાર આ અભિનેતા આર્થિક સંકટમાં ફસાયા.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોના ને કારણે, કામના અભાવે અથવા લોકડાઉનમાં કામ અટકી જવાને કારણે લોકો આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ ટીવી કલાકારો પણ તેની પકડમાં આવી ગયા છે. શ્રી કૃષ્ણ સિરીયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર અભિનેતા સુનિલ નાગર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે  એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ ખુલાસો કર્યો છે.

  

સુનિલે કહ્યું કે તેની બધી થાપણો ખતમ થઈ ગઈ છે. પરિવારના સભ્યોએ પણ સંબંધો તોડી નાખ્યા છે. તે જ સમયે, કેટલીક વ્યક્તિગત સમસ્યાઓના કારણે, તેણે પોતાનું મકાન પણ વેચવું પડ્યું હતું અને હવે તે ભાડાના મકાનમાં રહે છે. પરંતુ હવે તે ભાડાના પૈસા ચૂકવવા માટે પણ અસમર્થ થઈ ગયો છે.

 

વધુમાં તેઓ જણાવે છે કે, 'હું એક પ્રશિક્ષિત ગાયક પણ છું. જેના કારણે થોડા દિવસો પહેલા મને રેસ્ટોરન્ટમાં ગાવાની ઓફર મળી. તે લોકો મારા રોજિંદા ખર્ચની પણ કાળજી લેતા હતા પરંતુ તે પછી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી અને તે રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. જેના કારણે હું છેલ્લા કેટલાક મહિનાથી મારું ભાડુ ચૂકવવામાં પણ અસમર્થ છું.‘

તારા સુતારીયા એ શેર કરી બોલ્ડ તસવીરો. જોતજોતામાં થઇ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
 

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુનિલ નાગરે પૌરાણિક સિરીયલો જેમ કે 'ઓમ નમ: શિવાય', 'શ્રી ગણેશ' ચુક્યા છે.  

આ સિવાય  'તાલ', 'ચતુરસિંહ ટૂ સ્ટાર' અને 'યુ આર માય જાન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version