Site icon News Continuous Bureau | Mumbai

રામાનંદ સાગરની પૌરાણિક સીરીયલ ‘શ્રી કૃષ્ણ’માં ભીષ્મ પિતામહ નો રોલ કરનાર આ અભિનેતા આર્થિક સંકટમાં ફસાયા.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોરોના ને કારણે, કામના અભાવે અથવા લોકડાઉનમાં કામ અટકી જવાને કારણે લોકો આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ ટીવી કલાકારો પણ તેની પકડમાં આવી ગયા છે. શ્રી કૃષ્ણ સિરીયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર અભિનેતા સુનિલ નાગર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે  એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ ખુલાસો કર્યો છે.

  

સુનિલે કહ્યું કે તેની બધી થાપણો ખતમ થઈ ગઈ છે. પરિવારના સભ્યોએ પણ સંબંધો તોડી નાખ્યા છે. તે જ સમયે, કેટલીક વ્યક્તિગત સમસ્યાઓના કારણે, તેણે પોતાનું મકાન પણ વેચવું પડ્યું હતું અને હવે તે ભાડાના મકાનમાં રહે છે. પરંતુ હવે તે ભાડાના પૈસા ચૂકવવા માટે પણ અસમર્થ થઈ ગયો છે.

 

વધુમાં તેઓ જણાવે છે કે, 'હું એક પ્રશિક્ષિત ગાયક પણ છું. જેના કારણે થોડા દિવસો પહેલા મને રેસ્ટોરન્ટમાં ગાવાની ઓફર મળી. તે લોકો મારા રોજિંદા ખર્ચની પણ કાળજી લેતા હતા પરંતુ તે પછી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી અને તે રેસ્ટોરાં બંધ થઈ ગઈ હતી. જેના કારણે હું છેલ્લા કેટલાક મહિનાથી મારું ભાડુ ચૂકવવામાં પણ અસમર્થ છું.‘

તારા સુતારીયા એ શેર કરી બોલ્ડ તસવીરો. જોતજોતામાં થઇ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
 

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુનિલ નાગરે પૌરાણિક સિરીયલો જેમ કે 'ઓમ નમ: શિવાય', 'શ્રી ગણેશ' ચુક્યા છે.  

આ સિવાય  'તાલ', 'ચતુરસિંહ ટૂ સ્ટાર' અને 'યુ આર માય જાન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version