એક સમયે નાઈટક્લબમાં ગીતો ગાઈને મહિને 750 રૂપિયા કમાતી હતી ઉષા ઉથુપ, બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર ને કારણે મળી બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડ સિંગર ઉષા ઉથુપે ઇન્ડસ્ટ્રી પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંતુ હવે તે સ્ક્રીનથી દૂર છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે બોલિવૂડમાં કેવી રીતે એન્ટ્રી મળી. તેનો પ્રથમ પગાર અને પ્રથમ નોકરી કેવી હતી?

by Zalak Parikh
usha uthup reveals her first salary and job how she enter in bollywood

News Continuous Bureau | Mumbai

’હરે રામા હરે ક્રિષ્ના’ ના ટાઇટલ ગીત માં અવાજ આપનાર ઉષા ઉથુપે એક ઈન્ટરવ્યુમાં તેના પ્રથમ પગાર અને તેની પ્રથમ જોબ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે તેણે એક નાઈટ ક્લબ માં ગાયક તરીકે કરાર કર્યો હતો. અને તે તેની પ્રથમ નોકરી હતી. ઉષાએ એ પણ ખુલાસો કર્યો કે તે આખી ક્લબમાં સૌથી વધુ કમાણી કરતી ગાયિકા હતી. આ સિવાય તેણે બોલિવૂડમાં એન્ટ્રી માટે દેવ આનંદનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે તેના કારણે જ તે આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની શકી છે.ઉષા ઉથુપ તેના બુલંદ અવાજ માટે જાણીતી છે. તે હંમેશા ગાવા માંગતી હતી. આમાં તેની આંટી એ ઘણી મદદ કરી. મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં, ઉષા એ કહ્યું કે તેને મહિને 750 રૂપિયા મળતા હતા. તેણી કહે છે – ‘તે તકની બાબત છે. મારી આંટી મદદ કરતી અને મને બધા માટે ગાવાનું ગમતું. તેથી મેં હોટલ સાથે વ્યાવસાયિક કરાર પર હસ્તાક્ષર કર્યા. અને તે ખરેખર મહાન હતું કારણ કે અંતે મને 750 રૂપિયા મળ્યા. જો કે તે એક શો માટે નહીં પણ એક મહિનાનો પગાર હતો’.

 

બોલિવૂડમાં દેવ આનંદ ને કારણે થઇ ઉષા ઉથુપ ની એન્ટ્રી

સિંગરે વધુમાં જણાવ્યું હતું કે તેણીનો પહેલો પગાર મળ્યા બાદ તેણીને ખૂબ જ ગર્વની લાગણી થઈ હતી. તેણીએ તેના પ્રથમ પગારથી પ્રથમ વસ્તુઓ ખરીદી જે તેની માતા માટે સાડી અને તેના પિતા માટે મોજાની જોડી હતી. સિંગરે કહ્યું કે તેણે દરેકને કંઈક આપ્યું પરંતુ પોતાના માટે કંઈ નથી ખરીદ્યું. આ જ ઈન્ટરવ્યુમાં ઉષાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે બોલિવૂડમાં કેવી રીતે પ્રવેશ કર્યો. સિંગરે જણાવ્યું કે દેવ આનંદ નાઈટ ક્લબમાં તેમના ગીતો સાંભળવા દિલ્હી આવ્યા હતા. તે પોતે પણ તેને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. સિંગરના કહેવા પ્રમાણે, દેવ આનંદે તેને પોતાની ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’માં ગાવાની ઓફર પણ કરી હતી.

 

સિંગર ના પુત્ર ને છે આ બીમારી 

ઉષાએ વધુમાં જણાવ્યું કે ‘કોરોના પછી સ્વતંત્રતા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે જ્યાં તમે દુનિયામાં કોઈ કાળજી લીધા વિના જ બહાર જઈ શકો છો. ફક્ત ગાઓ અને ડરશો નહીં. હવે, હું હંમેશા ચિંતિત રહું છું કારણ કે મારો પુત્ર ડાયાલિસિસ પર છે, અને તેને કિડનીની સમસ્યા છે. તેથી જ મને હંમેશા ડર લાગે છે. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું અને કહું છું, ‘કૃપા કરીને મને સુરક્ષિત રહેવા દો જેથી તે સુરક્ષિત રહે’. અને આ વાત હંમેશા મારા મગજમાં ચાલતી રહે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More