બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર, ‘તારે જમીન પર’ ની અભિનેત્રી લલિતા લાજમી નું થયું નિધન

જાણીતા કલાકાર લલિતા લાજમીનું 90 વર્ષની વયે અવસાન થયું, તેમણે 2007માં આમિર ખાન અભિનીત ફિલ્મ 'તારે જમીન પર'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

by Zalak Parikh
veteran artist lalita lajmi passed away at 90 worked in the film taare zameen par

News Continuous Bureau | Mumbai

જાણીતા કલાકાર લલિતા લાજમી, ભારતીય લેખક સ્વર્ગસ્થ ગુરુ દત્તની બહેનનું 90 વર્ષની વયે નિધન થયું છે. એક સ્વ-શિક્ષિત કલાકાર, લલિતાએ 2007માં આમિર ખાન અભિનીત ફિલ્મ ‘તારે જમીન પર’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી અને આમિર ખાને તેમાં એક આર્ટ ટીચરની ભૂમિકા ભજવી હતી. લલિતા લાજમી એક સેલેબ્રીટી પેન્ટર હતા.જહાંગીર નિકોલસન આર્ટ ફાઉન્ડેશને લલિતા લાજમીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

 

લલિતા લાજમી ને નૃત્ય અને કલામાં હતો રસ 

ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું, ‘લલિતા લાજમીના નિધનના સમાચારથી અમે ખૂબ જ દુઃખી છીએ. લાજમીને શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ હતો અને તે સ્વ-શિક્ષિત કલાકાર હતી. તેમના કામમાં પ્રદર્શનનું એક તત્વ હતું જે તેમની આર્ટવર્ક “ડાન્સ ઑફ લાઇફ એન્ડ ડેથ” માં જોઈ શકાય છે.

લલિતા લાજમી ની દીકરી નું 2018 માં થયું હતું અવસાન 

કલ્પના લાજમી લલિતા લાજમીની પુત્રી હતી. તે હિન્દી સિનેમાની પ્રખ્યાત નિર્દેશક હતી. કલ્પનાનું 2018માં કિડનીના કેન્સરથી અવસાન થયું હતું. લલિતા લાજમી એ જણાવ્યું હતું કે જ્યારે તેની પુત્રી બીમાર હતી, તે સમયે ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે તેમની મદદ કરી હતી. જેમાં આમિર ખાન, આલિયા ભટ્ટ, સોની રાઝદાન, નીના ગુપ્તા રોહિત શેટ્ટી, કરણ જોહર અને સલમાન ખાન હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More