News Continuous Bureau | Mumbai
Vivek agnihotri: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ થવાનો છે. આ શુભ અવસર પર ઘણી બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોલિવૂડ હસ્તી માં ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી નું નામ પણ સામેલ છે તેમને પણ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નું આમન્ત્રણ મળ્યું છે. પરંતુ વિવેક રંજન અગ્નિહોત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
વિવેક અગ્નિહોત્રી એ અયોધ્યા ના જવાનું કારણ જણાવ્યું
વિવેક અગ્નિહોત્રી એ તેમના એક્સ (ટ્વીટર) પર આમંત્રણની તસવીરો શેર કરતા લખ્યું, “મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીની ઓફિસમાંથી ફોલોઅપ માટે ઘણી વખત ફોન આવ્યા. મહિલાએ મને ખૂબ જ વ્યાવસાયિક રીતે મુસાફરીની વિગતો પૂછી. દરેકની સલામતી અને આરામને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હું અભિષેકમાં હાજર રહી શકતો નથી કારણ કે હું 22મી જાન્યુઆરીએ કેટલાક અનિવાર્ય કારણોસર ભારતમાં નથી. માત્ર રામજી જ જાણે છે કે હું કેટલો દુઃખી છું.”
I was pleasantly surprised to receive many follow up calls from the office of CM @myogiadityanath Ji. The lady asked me travel details in an extremely warm but professional manner. Mighty impressed with the way technology is used to ensure a comfortable and safe visit for all.… pic.twitter.com/WJtrJ05rhM
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 20, 2024
તમને જણાવી દઈએ કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:15 થી 12:45 વચ્ચે યોજાનાર છે.મીડિયા રિપોર્ટ મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા 7,000 થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ