દૂરદર્શન પર ‘રામાયણ’ પ્રસારિત થાય તેવું કોઈ ઈચ્છતું નહોતું, બે વર્ષ સુધી ઓફિસના ચક્કર લગાવતા રહ્યા રામાનંદ સાગર,પછી આવી રીતે મળી લીલી ઝંડી

રામાનંદ સાગર લોકોને ભગવાન રામની કથા બતાવવા માંગતા હતા. પરંતુ, દૂરદર્શન અને તત્કાલીન સરકાર આની તરફેણમાં ન હતી. તેણે પાયલોટ એપિસોડ જોયા પછી સીરિયલ 'રામાયણ'ને નકારી કાઢી હતી. જોકે, પછી...

by Zalak Parikh
when doordarshan rejected ramanand sagar ramayana congress

News Continuous Bureau | Mumbai

1976 ની વાત છે.રામાનંદ સાગરે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને મા દુર્ગાની વાર્તાઓને ટીવી દ્વારા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.તે રામચરિત માનસ પર આધારિત સિરિયલથી તેની શરૂઆત કરવા માંગતા હતા.પરંતુ, તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘રામાયણ’ પર કામ કરતા પહેલા, રામાનંદ સાગરે એક પ્રયોગ તરીકે ‘વિક્રમ ઔર બેતાલ’ દ્વારા ભારતીય પૌરાણિક કથાઓ કહેવાનું શરૂ કર્યું.1985માં આવેલી આ ટીવી સિરીઝ ઘણી હિટ સાબિત થઈ હતી.આ સીરિયલની સફળતા બાદ જ રામાનંદ સાગરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરી.પરંતુ, દૂરદર્શન કે તત્કાલીન કોંગ્રેસ સરકારને ‘રામાયણ’ પર સિરિયલ બનાવવાનો કોન્સેપ્ટ પસંદ આવ્યો ન હતો.

 

દૂરદર્શને રામાયણ ને પ્રસારિત કરવાનો કર્યો હતો ઇન્કાર 

રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ના ત્રણ પાયલોટ એપિસોડનું નિર્માણ કર્યું હતું.પરંતુ, તેનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ થઈ શક્યું ન હતું.લગભગ બે વર્ષ સુધી, રામાનંદ સાગર દૂરદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના ચક્કર લગાવતા રહ્યા.જોકે, દૂરદર્શને ‘રામાયણ’નો પહેલો પાયલોટ એપિસોડ જોયા બાદ તેને નકારી કાઢ્યો હતો.દૂરદર્શનનું માનવું હતું કે ‘રામાયણ’ના એપિસોડ જોયા પછી લોકો હંગામો મચાવશે.પરંતુ, રામાનંદ સાગરે હાર ન માની.તેણે દૂરદર્શન અનુસાર ‘રામાયણ’નો પહેલો એપિસોડ ફરીથી શૂટ કર્યો.જો કે, કેટલાક વધુ વાંધાઓ નોંધાવતા, દૂરદર્શને બીજા પાયલોટ એપિસોડને પણ નકારી કાઢ્યો.રામાનંદ સાગરે ફરી એપિસોડ બનાવ્યો.જોકે, દૂરદર્શને તેને ત્રીજી વખત પણ ફગાવી દીધો હતો.

 

રામાનંદ સાગરે હાર ના માની  

રામાનંદ સાગર નારાજ હતા.તેનો સમય અને પૈસા બંનેનો વ્યય થતો હતો.પરંતુ, તેણે હાર ન માની.દૂરદર્શનના સરકારી અધિકારીઓ પાસેથી જવાબ જાણવા તેઓ કલાકો સુધી મંડી હાઉસમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોતા હતા.’રામાયણ’ના ડાયલોગ્સને કારણે ઘણી વખત અધિકારીઓએ રામાનંદ સાગરનું અપમાન પણ કર્યું હતું.પરંતુ, રામાનંદ સાગરે ચાલુ રાખ્યું.છેવટે, ઘણા મહિનાઓની મહેનત પછી, દૂરદર્શન એક હદ સુધી ‘રામાયણ’નું પ્રસારણ કરવા સંમત થયું.જોકે, સરકાર હજુ પણ માનતી ન હતી. 

 

અજીત કુમાર પંજા ને કારણે પ્રસારિત થઇ હતી રામાયણ 

1986 માં, અજીત કુમાર પંજાએ ભારતના નવા ‘માહિતી અને પ્રસારણ મંત્રી’ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.અજીત કુમાર પંજાના પ્રયાસોને કારણે ‘રામાયણ’ પ્રસારિત થઈ શકી.આ સીરિયલ એટલી સફળ થઈ કે લોકો તેના એક એપિસોડ જોવા માટે પોતાનું તમામ કામ છોડી દેતા હતા.દેશના રસ્તાઓ રવિવારની સવારે નિર્જન થઈ જતા હતા.જણાવી દઈએ કે, રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ તેમના પુસ્તક એન એપિક લાઈફઃ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટુ રામાયણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More