Site icon News Continuous Bureau | Mumbai

દૂરદર્શન પર ‘રામાયણ’ પ્રસારિત થાય તેવું કોઈ ઈચ્છતું નહોતું, બે વર્ષ સુધી ઓફિસના ચક્કર લગાવતા રહ્યા રામાનંદ સાગર,પછી આવી રીતે મળી લીલી ઝંડી

રામાનંદ સાગર લોકોને ભગવાન રામની કથા બતાવવા માંગતા હતા. પરંતુ, દૂરદર્શન અને તત્કાલીન સરકાર આની તરફેણમાં ન હતી. તેણે પાયલોટ એપિસોડ જોયા પછી સીરિયલ 'રામાયણ'ને નકારી કાઢી હતી. જોકે, પછી...

when doordarshan rejected ramanand sagar ramayana congress

દૂરદર્શન પર 'રામાયણ' પ્રસારિત થાય તેવું કોઈ ઈચ્છતું નહોતું, બે વર્ષ સુધી ઓફિસના ચક્કર લગાવતા રહ્યા રામાનંદ સાગર,પછી આવી રીતે મળી લીલી ઝંડી

News Continuous Bureau | Mumbai

1976 ની વાત છે.રામાનંદ સાગરે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને મા દુર્ગાની વાર્તાઓને ટીવી દ્વારા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.તે રામચરિત માનસ પર આધારિત સિરિયલથી તેની શરૂઆત કરવા માંગતા હતા.પરંતુ, તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘રામાયણ’ પર કામ કરતા પહેલા, રામાનંદ સાગરે એક પ્રયોગ તરીકે ‘વિક્રમ ઔર બેતાલ’ દ્વારા ભારતીય પૌરાણિક કથાઓ કહેવાનું શરૂ કર્યું.1985માં આવેલી આ ટીવી સિરીઝ ઘણી હિટ સાબિત થઈ હતી.આ સીરિયલની સફળતા બાદ જ રામાનંદ સાગરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરી.પરંતુ, દૂરદર્શન કે તત્કાલીન કોંગ્રેસ સરકારને ‘રામાયણ’ પર સિરિયલ બનાવવાનો કોન્સેપ્ટ પસંદ આવ્યો ન હતો.

Join Our WhatsApp Channel

 

દૂરદર્શને રામાયણ ને પ્રસારિત કરવાનો કર્યો હતો ઇન્કાર 

રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ના ત્રણ પાયલોટ એપિસોડનું નિર્માણ કર્યું હતું.પરંતુ, તેનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ થઈ શક્યું ન હતું.લગભગ બે વર્ષ સુધી, રામાનંદ સાગર દૂરદર્શન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના ચક્કર લગાવતા રહ્યા.જોકે, દૂરદર્શને ‘રામાયણ’નો પહેલો પાયલોટ એપિસોડ જોયા બાદ તેને નકારી કાઢ્યો હતો.દૂરદર્શનનું માનવું હતું કે ‘રામાયણ’ના એપિસોડ જોયા પછી લોકો હંગામો મચાવશે.પરંતુ, રામાનંદ સાગરે હાર ન માની.તેણે દૂરદર્શન અનુસાર ‘રામાયણ’નો પહેલો એપિસોડ ફરીથી શૂટ કર્યો.જો કે, કેટલાક વધુ વાંધાઓ નોંધાવતા, દૂરદર્શને બીજા પાયલોટ એપિસોડને પણ નકારી કાઢ્યો.રામાનંદ સાગરે ફરી એપિસોડ બનાવ્યો.જોકે, દૂરદર્શને તેને ત્રીજી વખત પણ ફગાવી દીધો હતો.

 

રામાનંદ સાગરે હાર ના માની  

રામાનંદ સાગર નારાજ હતા.તેનો સમય અને પૈસા બંનેનો વ્યય થતો હતો.પરંતુ, તેણે હાર ન માની.દૂરદર્શનના સરકારી અધિકારીઓ પાસેથી જવાબ જાણવા તેઓ કલાકો સુધી મંડી હાઉસમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોતા હતા.’રામાયણ’ના ડાયલોગ્સને કારણે ઘણી વખત અધિકારીઓએ રામાનંદ સાગરનું અપમાન પણ કર્યું હતું.પરંતુ, રામાનંદ સાગરે ચાલુ રાખ્યું.છેવટે, ઘણા મહિનાઓની મહેનત પછી, દૂરદર્શન એક હદ સુધી ‘રામાયણ’નું પ્રસારણ કરવા સંમત થયું.જોકે, સરકાર હજુ પણ માનતી ન હતી. 

 

અજીત કુમાર પંજા ને કારણે પ્રસારિત થઇ હતી રામાયણ 

1986 માં, અજીત કુમાર પંજાએ ભારતના નવા ‘માહિતી અને પ્રસારણ મંત્રી’ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.અજીત કુમાર પંજાના પ્રયાસોને કારણે ‘રામાયણ’ પ્રસારિત થઈ શકી.આ સીરિયલ એટલી સફળ થઈ કે લોકો તેના એક એપિસોડ જોવા માટે પોતાનું તમામ કામ છોડી દેતા હતા.દેશના રસ્તાઓ રવિવારની સવારે નિર્જન થઈ જતા હતા.જણાવી દઈએ કે, રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ તેમના પુસ્તક એન એપિક લાઈફઃ રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટુ રામાયણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version