Sanjay Dutt: સંજય દત્તની જેલ લાઇફ: IPS અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, થપ્પડ માર્યા બાદ પિતાને જોઈને અભિનેતાની હાલત કેવી થઈ હતી?

Sanjay Dutt: ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ ના કેસની તપાસ કરનાર IPS ઓફિસર રાકેશ મારિયા એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે અભિનેતા સંજય દત્તે ગેરકાયદેસર હથિયારો રાખવાનો ગુનો કબૂલ્યો હતો. રાકેશ મારિયાએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેમણે ગુનો ન કબૂલતા સંજય દત્તને થપ્પડ મારી હતી અને પછી સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્ત ને જોઈને કરગર્યો હતો.

by Zalak Parikh
When IPS Officer Slapped and Pulled Sanjay Dutt's Hair, Revealed How He Pleaded Seeing His Father

News Continuous Bureau | Mumbai

Sanjay Dutt:  મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બ્લાસ્ટમાં સંજય દત્તનું નામ ગેરકાયદેસર હથિયારો રાખવાના કેસમાં આવ્યું હતું. આ કેસની તપાસ કરનાર IPS ઓફિસર રાકેશ મારિયાએ તાજેતરમાં તે ઘટનાને ફરી યાદ કરી. તેમણે જણાવ્યું કે સંજય દત્તનું નામ સામે આવ્યું ત્યારે સંજય દત્ત મુંબઈની બહાર હતો. તે પરત ફર્યો ત્યારે તેને એરપોર્ટ પરથી જ ઉપાડી લેવામાં આવ્યો હતો..

આ સમાચાર પણ વાંચો : Akshay Khanna : કરિશ્મા કપૂરના લગ્નમાં અક્ષય ખન્નાએ પતિની સામે જ અભિનેત્રીના હાથ પરકરી કિસ, વિડીયો એ મચાવ્યો હંગામો!

સંજય દત્તનું નામ કેવી રીતે આવ્યું?

મીડિયા સાથેની વાતચીતમાં રાકેશ મારિયાએ જણાવ્યું કે કેસમાં સંજય દત્તનું નામ બાંદ્રાના એક જાણીતા રેસ્ટોરન્ટના માલિક હનીફ કડાવાલા અને સમીર હિંગોરાને કારણે આવ્યું હતું.હનીફ અને સમીરે સંજય દત્તનું નામ આપ્યું ત્યારે રાકેશ મારિયાને આશ્ચર્ય થયું કે સંજય દત્તને આની સાથે શું લેવાદેવા?રાકેશે જણાવ્યું કે ગુનેગારો હથિયારોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માંગતા હતા અને તેમણે આ માટે સંજય દત્તનું ઘર સેફ જણાયું હતું. આ હથિયારોનો ઉપયોગ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટમાં થયો હતો.સંજય દત્ત મોરિશિયસમાં શૂટિંગ કરી રહ્યો હતો. તે ભારત પાછો ફર્યો ત્યારે તેને એરપોર્ટ પરથી જ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો. રાકેશે જણાવ્યું કે કેવી રીતે સંજય દત્ત સાથે પૂછપરછ કરવામાં આવી હતી તે વિશે જણાવતા કહ્યું,  સવારે લગભગ ૮ વાગ્યે રાકેશ મારિયા સંજય દત્તના રૂમમાં ગયા અને પૂછ્યું, “શું તમે મને તમારી વાર્તા જણાવશો કે પછી હું તમારો રોલ જણાવું?” સંજયે જવાબ આપ્યો કે તે નિર્દોષ છે.રાકેશ મારિયાએ જણાવ્યું, “તે મારા સામે ખુરશી પર બેઠા હતા. હું તેમની પાસે ગયો, તેમના વાળ લાંબા હતા. મેં એક જોરદાર થપ્પડ મારી, તે થોડો પાછળ ખસી ગયો અને મેં તેના વાળ પકડ્યા અને ખેંચ્યા. મેં પૂછ્યું, ‘ઇચ્છો છો કે શરાફતથી વાત કરું કે પછી?'” આ પછી સંજય દત્તે એકાંતમાં વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને પછી બધું જણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by The Desi Crime Podcast (@desicrime)


સંજય દત્તે ગુનો કબૂલ્યા પછી રાકેશને વિનંતી કરી અને કહ્યું, “તે બોલ્યો, ‘મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મારા ડૅડને ન કહેતા.’ મેં જવાબ આપ્યો, ‘તારા પિતાને કેવી રીતે ન જણાવું? તેં ભૂલ કરી છે, મર્દ બન.’ રાકેશે જણાવ્યું કે જ્યારે સુનીલ દત્ત કેટલાક ફિલ્મ અને રાજકીય દિગ્ગજો સાથે સંજયને મળવા આવ્યા ત્યારે તેમણે દાવો કર્યો કે સંજય નિર્દોષ છે. રાકેશે જણાવ્યું કે જ્યારે સંજય દત્તને તેના પિતા સામે લાવવામાં આવ્યો ત્યારે”સંજય દત્તને રૂમમાં લાવવામાં આવ્યો, તેણે પોતાના પિતાને જોયા, તે બાળકની જેમ રડવા લાગ્યો અને તેમના પગમાં પડીને બોલ્યો, ‘પાપા મારાથી ભૂલ થઈ ગઈ.’ સુનીલ દત્તનો ચહેરો પીળો પડી ગયો હતો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More