News Continuous Bureau | Mumbai
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને જયા બચ્ચને (Jaya Bachchan) પહેલીવાર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં (Kabhi khushi kabhi gham) સાથે કામ કર્યું હતું. પરંતુ બાદમાં બંને વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. વર્ષ 2014માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ને (happy new year) જયા બચ્ચને બકવાસ કહી હતી.
એક ફેસ્ટિવલમાં જયા બચ્ચને કહ્યું કે તેણે ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મ માત્ર એટલા માટે જોઈ કારણ કે તેનો પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ફિલ્મમાં હતો. જયાએ કહ્યું હતું કે, “મેં તેને કહ્યું હતું કે તે ખૂબ જ સારો એક્ટર છે પરંતુ જો તે કેમેરાની સામે આ પ્રકારની મૂર્ખતા કરી શકે છે, તો હું આ દિવસોમાં ફિલ્મોમાં જે બની રહ્યું છે તેનો ભાગ બની નથી શકતી.”“હું આ ફિલ્મ ના જોઈ શકી, પરંતુ તેણે જે રીતે ખુલી ને અભિનય કર્યો છે તેનાથી હું પ્રભાવિત છું. અલબત્ત મેં જઈને નિર્માતા અને ફિલ્મના મુખ્ય અભિનેતાને (lead actor) કહ્યું કે મેં આનાથી વધુ બકવાસ ફિલ્મ ક્યારેય જોઈ નથી.” પરંતુ જયાએ શાહરૂખની એક્ટિંગના (Shahrukh khan acting) પણ વખાણ કર્યા. પરંતુ શાહરૂખ ફિલ્મને ખરાબ છે તે સાંભળીને સહન ન કરી શક્યો અને તેણે કહ્યું, ‘જયા આંટી, ‘અમર અકબર એન્થોની’ (Amar akbar anthony) જેટલી બકવાસ નથી”. જયાએ કહ્યું, “મેં કહ્યું કે તે વધુ સારી હોઈ શકતી હતી. ‘અમર અકબર એન્થની’ એક એવી ફિલ્મ છે જે મને જોવી ગમે છે.”
આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન..
કહેવાય છે કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે (Aishwarya Rai) જયાની ટિપ્પણી માટે શાહરૂખ ખાનની માફી (apologize) પણ માંગી હતી. પણ તે ભૂલવા તૈયાર નહોતો. જો કે શાહરૂખ ખાને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. અને ટ્વિટર (twitter) પર લખ્યું, “તાજેતરના સમયમાં પત્રકારત્વનો વધુ કઠોર, બનાવટી ભાગ વાંચ્યો નથી. વધુ નકારાત્મક અહેવાલોને રદિયો આપતા, શાહરૂખ તે જ વર્ષે કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલના (kolkata film festival) ઉદઘાટન સમારોહમાં સ્ટેજ પર બચ્ચન પરિવાર સાથે જોડાયો હતો. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચન તેના નિવેદનને લઇ ને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.
Join Our WhatsApp Community