News Continuous Bureau | Mumbai
Yeh Rishta Kya Kehlata Hai: ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફરી એકવાર ચર્ચામાં છે. અત્યારે શોમાં અભીરા ને અંશુમનના મૃત્યુ કેસમાં જેલ જવું પડ્યું છે અને અરમાન તેના માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે શો 15 વર્ષનો મોટો લીપ લેવા જઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Ashish Kapoor Arrested: ટીવી એક્ટર આશિષ કપૂર ની થઇ પુણેમાંથી ધરપકડ, અભિનેતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો
અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લાએ આપી સ્પષ્ટતા
અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લા એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેને અને અન્ય કલાકારોને હજી સુધી કોઈ ઓફિશિયલ અપડેટમળ્યું નથી. “અમને કોઈ માહિતી નથી… નિર્માતાઓ તરફથી કોઈ પુષ્ટિ નથી,” એમ તેણે જણાવ્યું. આ નિવેદનથી ફેન્સમાં સસ્પેન્સ વધી ગયું છે.
View this post on Instagram
યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એ અગાઉ પણ ઘણા પેઢી પરિવર્તન આવ્યા છે. શરૂઆતમાં હિના ખાન અને કરણ મહેરા હતા, પછી મોહસિન ખાન અને શિવાંગી જોશી આવ્યા. ત્યારબાદ પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા અને હવે સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિત મુખ્ય પાત્રમાં છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)