News Continuous Bureau | Mumbai
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં હવે એક પછી એક મોટા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ચારુના પાત્રની મોત પછી હવે સમાચાર છે કે સુરેખાની પણ શોમાંથી વિદાય થવાની છે. સુરેખાનું પાત્ર સાઈ ભારવે ભજવી રહી છે. એક ભયાનક આગ ના ઘટનાક્રમમાં સુરેખાની મોત થશે, જ્યારે અન્ય બધા લોકો સુરક્ષિત બહાર આવી જશે.
આ સમાચાર પણ વાંચો : Anupama: પ્રેમ અને રાહી ને મળ્યા અનુજ ના આશીર્વાદ,’રોમાન્સ કી બરસાત’ માંથી બંને ની જયમાલા મોમેન્ટ થઇ વાયરલ
અભિરા અને અંશુમનની લગ્ન વિધિ પર વિઘ્ન
મીડિયા રિપોર્ટ મુજબ સુરેખા ને લઈને આ દુઃખદ ઘટના અભિરા અને અંશુમનની લગ્નના દિવસે થશે. લગ્નના સાત ફેરા પહેલા જ આ દુર્ઘટના ઘટશે, જેના કારણે અભિરા સંપૂર્ણ રીતે તૂટી જશે. સુરેખા તેના પરિવારનો મહત્વનો ભાગ છે, તેથી આ ઘટના તેને ખૂબ અસર કરશે.અરમાન, જે હજુ પણ અભિરાને પ્રેમ કરે છે, આ દુઃખદ ઘડીમાં તેની સાથે હશે.
View this post on Instagram
મેકર્સ શોમાં સતત નવા ટર્ન અને ટ્વિસ્ટ લાવી રહ્યા છે. ચારુ અને સુરેખાની મોત પછી હવે શો વધુ સંવેદનશીલ અને રોમાંચક બનશે. ફેન્સ માટે આગામી એપિસોડ્સમાં ઘણું બધું જોવા મળશે જે તેમને સ્ક્રીન સાથે જોડી રાખશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)