News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી દર્શકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા ણ લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. રુહી એ અરમાન અને અભીરા ના લગ્ન રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે બંને એ લગ્ન કરી લીધા હવે આ બધાની વચ્ચે રુહી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ગર્વિતા સિધાવની એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેને જોઈને તેના ચાહકો પરેશાન થઇ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માંથી રિતિક રોશન અને કિયારા અડવાણી નો મહત્વ નો સીન થયો લીક, બંને ને એક ફ્રેમ આમ જોઈ ચાહકો થયા ખુશ
યે રિશ્તા ની રુહી એટલે કે ગર્વિતા એ શેર કરી પોસ્ટ
ગર્વિતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર યે રિશ્તા માં તેના લગ્ન ના જોડા ની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરો શેર કરતા ગર્વિતા એ લખ્યું, ‘રુહીની લાગણીઓ ચરમસીમાએ હતી જ્યારે તે કોઈપણ કિંમતે અરમાનને પોતાનો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેના તમામ ઉતાર-ચઢાવ, તમામ પ્રેમ અને નફરત વચ્ચે, એક વસ્તુ સતત રહી – મારામાંનો અભિનેતા દરરોજ શીખે છે. છેલ્લા બે એપિસોડ માટેના જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર #Ruhit Fam તૈયાર થઈ જાઓ અને બધા આનંદ કરો #અભિમાનના લગ્ન થઈ ગયા.’
View this post on Instagram
ગર્વિતા ની આ પોસ્ટ જોઈ તેના ચાહકો પરેશાન થઇ ગયા છે. એક યુઝરે લખ્યું, “તમે રુહીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે.” બીજા એક એ લખ્યું, “શું રુહીનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે… તે શો છોડી રહી છે?” આ રીતે ગર્વિતા નું કમેન્ટ સેક્શન તેના ચાહકો ની પ્રતિક્રિયા થી ભરાઈ ગયું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)