Site icon News Continuous Bureau | Mumbai

YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં અક્ષરા અભિમન્યુના ગુસ્સાનો સામનો કરતી જોવા મળશે. આ પ્રોમોમાં અભિમન્યુનો નવો લૂક જોવા મળશે. અભિનવ-અભિરના જીવનમાં પણ ઉથલપાથલ થશે, સંબંધોમાં આવશે નવો વળાંક...

yeh rishta kya kehlata hai new promo get ready to see the biggest twist ever

YRKKH નવો પ્રોમો: અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ માટે થઇ જાઓ તૈયાર, અક્ષરા-અભિમન્યુ ના જીવન માં આવશે નવો વળાંક

News Continuous Bureau | Mumbai

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એ ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ ચાલતી ટેલિવિઝન ડેઈલી સોપ અને સૌથી લોકપ્રિય પારિવારિક મનોરંજન સિરિયલોમાંની એક છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હર્ષદ ચોપરા (અભિમન્યુ) અને પ્રણાલી રાઠોડ (અક્ષરા) મુખ્ય ભૂમિકામાં છે. સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ ટીઆરપી માં સારું સ્થાન જાળવી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો નવો પ્રોમો તમારા હોશ ઉડાવી દેશે, આ વખતે વાર્તામાં નવો વળાંક આવવાનો છે. YRKKH ના નવા પ્રોમોમાં અભિમન્યુનો નવો લૂક જોઈને તમે પણ ચોંકી જશો. આવો જાણીએ શું છે આ નવા પ્રોમો વીડિયોમાં…

Join Our WhatsApp Channel

 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નવા પ્રોમો ની વાર્તા 

સમય સાથે અક્ષરા તેના પતિ અભિનવ (જય સોની) અને તેમના પુત્ર અભિર સાથે આગળ વધી રહી હોય તેવું લાગે છે, પરંતુ છ વર્ષ છૂટા પડ્યા પછી પણ અભિ હજુ પણ કંઈક અંશે મોહમાં છે. આનું કારણ બીજું કોઈ નહીં પણ અભિર છે કારણ કે તે અભિનો પુત્ર છે. અત્યાર સુધી અભિમન્યુને ખબર નથી કે અભિર તેનો પુત્ર છે. અભિનવ નહીં પણ તે અભિરનો અસલી પિતા છે. 

સ્ટોરીમાં આવશે નવો વળાંક 

સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સ્ટોરીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે, પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે અભિમન્યુને અભિની સત્યતા વિશે ખબર પડી જાય છે અને અક્ષરા અભિને કહે છે કે અભિરથી દૂર રહે. શું અક્ષરા અભિમન્યુ અને અભિરને દૂર રાખી શકશે? શું અભિમન્યુ બધાને કહી શકશે કે સત્ય શું છે, આખરે અક્ષરાએ આટલા વર્ષો સુધી સત્ય કેમ છુપાવ્યું ? અભિમન્યુને ખબર પડે છે કે અભિર અક્ષરા-અભિમન્યુનો પુત્ર છે. અભિમન્યુ અક્ષરાને અભિરને લઈ જતા રોકે છે. અક્ષરા તેને ટોણો મારે છે અને કહે છે કે પાલનહાર સર્જક કરતા મોટો છે. અક્ષરા કહે છે કે અભિરના પિતા અભિનવ છે, તમે નથી, તેનાથી દૂર રહો. આવી સ્થિતિમાં અક્ષરા હવે શું કરશે?

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version