News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai:યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ ની વાર્તા અભીરા, અરમાન, રોહિત અને રુહી ની આસપાસ ફરે છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સિરિયલ માં રોહિત નું નિધન થશે અને તેના લીધે અરમાન અને અભીરા અલગ થઇ જશે. હવે આ મામલે સિરિયલ માં અરમાન ની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Stree 2: શું સ્ત્રી 2 ની આ કવિતા અમેરિકન સિરીઝ માંથી કરવામાં આવી છે કોપી? જાણો હકીકત
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના અરમાન એ જાણવી હકીકત
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન નું પાત્ર ભજવી રહેલા અભિનેતા રોહિત પુરોહિત એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘રોહિત ના નિધન ના ટ્રેક વિશે હું કઈ જાણતો નથી. નિર્માતાઓએ તેના વિશે કંઈપણ ચર્ચા કરી નથી અને મને ખબર નથી કે તે થશે કે કેમ. આવા ટ્રેક વિશે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.’
#yrkkh #abhimaan #AbhiraSharma #armaanpoddar #abhimaan #rohitpurohit #SamridhiiShukla pic.twitter.com/ifPNbnCMF2
— Abhimaanxheaven (@abhimaanxlove) August 23, 2024
આ ઉપરાંત રોહિતે જણાવ્યું કે, ‘આ સમયે, હું કહેવા માંગુ છું કે હું યે રિશ્તા ક્યા કહેલાતા હૈના દર્શકોને જાગૃત કરવા માંગુ છું કે તેઓ ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરે. અરમાન-અભિરા એક થવા જઈ રહ્યા છે, ખાસ કરીને ઘણી સમસ્યાઓ પછી. મને નથી લાગતું કે તેમના અલગ થવાની એક ટકા પણ શક્યતા છે. બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત થઈ રહ્યો છે. મને નથી લાગતું કે કોઈ તેમને અલગ કરી શકે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)