News Continuous Bureau | Mumbai
YRKKH and anupama: સ્ટાર પ્લસની હિટ સિરિયલ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ રાજન શાહીની હિટ સિરિયલો છે. ટીઆરપી લિસ્ટ માં અનુપમા નો દબદબો છે તો બીજી તરફ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે મેકર્સ આ બંને સિરિયલનો મેગા એપિસોડ લાવવા જઈ રહ્યા છે, જેમાં અભિરા અને અનુપમા સાથે જોવા મળશે. સેટ પરથી તસવીરો પણ સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો: Sobhita dhulipala and Naga chaitanya: શું સામંથા ની જેમ શોભિતા સાથે પણ નાગા ચૈતન્ય ના થશે છૂટાછેડા? એક જ્યોતિષી એ કપલ ના લગ્નજીવન ને લઈને કરી આવી ભવિષ્ય વાણી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમા નો મહાસંગમ એપિસોડ
મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમાના મહાસંગમ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ એપિસોડ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પર શૂટ કરવામાં આવ્યો છે. અનુપમા સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં એન્ટ્રી કરશે.યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને અનુપમા ના આ મહાસંગમ એપિસોડમાં શું બતાવવામાં આવશે તેને લઈને મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુપમા અરમાન અને અભીરા ના લગ્ન માં હાજરી આપવા આવશે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હાલ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન ઘર છોડી ને જતો રહ્યો છે તે અભીરા સાથે લગ્ન કરવા માટે તેની રાધા કૃષ્ણ મંદિર માં રાહ જોઈ રહ્યો હોય છે. જયારે કે અનુપમા માં પણ અનુપમા રીક્ષા ડ્રાઇવર બની છે.તે પણ તેની દીકરી આધ્યા ની ખોજમાં છે હવે જોવું એ રહ્યું કે આ મહાસંગમ થી બંને ના જીવન માં શું થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)