Site icon

YRKKH Pratiksha honmukhe: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ પહેલીવાર બોલી રુહી! પ્રતીક્ષા હોનમુખે એ જણાવી તેના અને શહેજાદા ધામી ના સંબંધ ની હકીકત

YRKKH Pratiksha honmukhe: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી રાતો રાત પ્રતીક્ષા હોનમુખે અને શહેજાદા ધામી ને કાઢી મુકવામાં આવ્યા હતા. પ્રતીક્ષા હાલ ઝી ટીવી નો શો કૈસે મુજે તુમ મિલ ગયે માં જોવા મળી રહી છે. આ દરમિયાન પહેલીવાર રાજન શાહી ના શો માંથી બહાર નીકળ્યા બાદ તેને તેના અને શહેજાદા ના સંબંધ વિશે વાત કરી છે.

yrkkh pratiksha honmukhe reacted on dating rumors with shehzada dhami

yrkkh pratiksha honmukhe reacted on dating rumors with shehzada dhami

News Continuous Bureau | Mumbai 

YRKKH Pratiksha honmukhe: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી રાતો રાત પ્રતીક્ષા હોનમુખે અને શહેજાદા ધામી ને કાઢી મુકવામાં આવ્યા હતા. પ્રતીક્ષા હાલ ઝી ટીવી નો શો કૈસે મુજે તુમ મિલ ગયે માં જોવા મળી રહી છે.રાજન શાહી ના શો માંથી બહાર આવ્યા બાદ પહેલીવાર પ્રતીક્ષા નું રિએક્શન સામે આવ્યું છે આ દરમિયાન પ્રતીક્ષા એ તેના અને શહેજાદા ધામી ના સંબંધ ની હકીકત પણ જણાવી હતી. તમને જણાવી દઈએ કે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ પ્રતીક્ષા રુહી ની ભૂમિકા માં જોવા મળી હતી અને આ તેનો પહેલો જ શો  હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Urfi and Orry: બધા ની વચ્ચે ઉર્ફી જાવેદે કરી ઓરી ને કિસ, ઉર્ફી સાથે લગ્ન કરવા ના સવાલ પર ઓરી એ આપ્યો મજેદાર જવાબ

પ્રતીક્ષા એ તેના અને શહેજાદા ના સંબંધ વિશે કર્યો ખુલાસો 

પ્રતીક્ષા હોનમુખે એ તાજેતર માં જ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે,  ‘ના! હું અને શહેજાદા અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા. અમે હજુ પણ મિત્રો છીએ અને ભવિષ્યમાં પણ મિત્રો રહીશું. મને ખબર નથી કે લોકો એ કેમ એવું વિચારી લીધું. એ મારો પહેલો શો હતો અને ત્યાં મારો મિત્ર બનેલો પહેલો વ્યક્તિ શહેજાદા હતો.જે રીતે શાહજાદાએ મને મદદ કરી, જે રીતે તેણે મને ટેકો આપ્યો, તેનાથી અમારી વચ્ચે એક બંધન બંધાઈ ગયું. જ્યારે તમે કોઈની સાથે વધુ આરામદાયક બનો છો, ત્યારે એક બોન્ડ રચાય છે, તેનો અર્થ એ નથી કે તમે તે વ્યક્તિ સાથે છો. તેથી હું એટલું જ કહેવા માંગુ છું કે અમે મિત્રો હતા અને મિત્રો છીએ. આ સિવાય અમારી વચ્ચે બીજું કંઈ નથી.’


પોતાની વાત ને આગળ વધારતા પ્રતીક્ષા એ કહ્યું, ‘જુઓ આપણે કોનું કોનું મોઢું બંધ કરી શકીએ છે. જો કાલે મારો બીજો કોઈ મિત્ર બનશે તો લોકો એની સાથે પણ મારુ નામ જોડી દેશે.એનો મતલબ એ નથી કે હું તેની સાથે છું. મને લાગે છે કે લોકો બોલતા રહેશે, આપણે ફક્ત આપણું કામ કરતા રહેવું જોઈએ અને ભગવાને જોયું છે કે શું થયું. તેઓ જાણે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. આ સિવાય હું બીજું કશું કહેવા માંગતી નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version