News Continuous Bureau | Mumbai
YRKKH spoiler: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના નવા પ્રોમો અનુસાર, અરમાન અને અભિરા મળી જશે. તેઓ બંને સાથે મળીને અભીર અને કિયારાને નજીક લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આ વાતની જાણ મનીષાને થઈ જશે. મનીષા કસમ ખાશે કે તે અભિરા અને અરમાનના પ્લાનને ક્યારેય સફળ થવા દેશે નહીં. તે કિયારાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે અને આ જ ચક્કરમાં કિયારાનો અકસ્માત થઈ જશે. કિયારા ગંભીર રીતે ઘાયલ થશે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હેમા માલિની ભાવુક, કયા દિગ્ગજોએ આપી હાજરી?
કિયારા કોમામાં જવાનો ડ્રામા કરશે
હોસ્પિટલના બેડ પર સૂતી કિયારા આ વાતની ચિંતા કરશે કે આ બધાના કારણે ક્યાંક તેનો અને અભીરનો સંબંધ નબળો ન પડી જાય.તે અભીરનો ટેસ્ટ લેવાનો નિર્ણય કરશે. તે જાણીજોઈને કોમામાં જવાનું નાટક કરશે અને ડોક્ટરને પણ આ અંગેની બધી વાત સમજાવશે. કિયારાના કોમામાં જવાની વાત સાંભળીને અભીર અને બાકીના પરિવારજનો પરેશાન થઈ જશે.
View this post on Instagram
અભીર દરેક સમયે કિયારાની પાસે રહેશે. તે કિયારાનું ધ્યાન રાખશે અને તેની સંભાળ લેશે. અભીર ની આ સાઈડ જોઈને કિયારા પોતાનો ડ્રામા સમાપ્ત કરવાનો નિર્ણય લેશે. કિયારા ઉભી થશે અને બધાને જણાવશે કે તે કોમામાં ન હતી. તે માત્ર ડ્રામા કરી રહી હતી કારણ કે તેને અભીરનો ટેસ્ટ લેવાનો હતો. આ પછી કિયારા, અભીર સાથે લગ્ન કરવાનો નિર્ણય લેશે. બંને ખુશ થઈ જશે અને પરિવારજનો પણ ખુશી-ખુશી બંનેના લગ્નમાં સામેલ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)